ખ્રિસ્તીઓ પરના ‘અત્યાચાર‘ મામલે અમેરિકા થશે વધુ કડક યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ ચેતવણી આપી હતી કે કટ્ટરપંથી ઇસ્લામની “વધુ પ્રદેશો અને લોકો પર નિયંત્રણ” રાખવાની મહત્વાકાંક્ષા વૈશ્વિક સુરક્ષા માટે “નિકટવર્તી ખતરો” છે. તેમનું નિવેદન નાઇજીરીયામાં કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓ, ફુલાની વંશીય લશ્કર અને અન્ય લોકો દ્વારા ખ્રિસ્તીઓ પર અત્યાચાર અને ‘સામૂહિક હત્યા‘ના અહેવાલો વચ્ચે આવ્યું […]
Author: JKJGS
હસીનાને હટાવ્યા પછી બાંગ્લાદેશના ‘જેન ઝી’ રાજકીય સ્થાન મેળવવા માટે લડી રહ્યા છે
બાંગ્લાદેશમાં ફરી રાજકીય હલચલ? આ વર્ષે બાંગ્લાદેશમાં હજારો લોકો લાંબા સમયથી નેતા શેખ હસીનાને ઉથલાવીને એક નવો રાજકીય પક્ષ શરૂ કરનારા વિદ્યાર્થીઓની યોજનાઓ સાંભળવા માટે ઉમટી પડ્યા હતા, પરંતુ હવે તે શેરી શક્તિને મતોમાં રૂપાંતરિત કરવામાં સંઘર્ષ કરી રહી છે. દાયકાઓથી ચાલતા ભત્રીજાવાદ અને બે-પક્ષીય વર્ચસ્વથી રાષ્ટ્રને મુક્ત કરવાના પોતાના વચનને પૂર્ણ કરવા માટે લડતી, […]
પુતિન યુક્રેન યુદ્ધનો ‘અંત‘ કરવા માંગશે: ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ સાથે યુએસ પ્રતિનિધિમંડળની વાતચીત પર કહ્યું
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે વ્લાદિમીર પુતિન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માંગે છે, તેમણે ઉમેર્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિએ ફેબ્રુઆરી ૨૦૨૨ માં શરૂ થયેલા સંઘર્ષની આસપાસ કેન્દ્રિત અમેરિકન અધિકારીઓ સાથે ‘ખૂબ જ સારી‘ વાતચીત કરી હતી. “પુતિનની ગઈકાલે જેરેડ કુશનર અને સ્ટીવ વ્હિટકોફ સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ હતી. તે મુલાકાતમાંથી […]
ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝાના અરજદારો માટે વધુ સારી ચકાસણીનો આદેશ આપ્યો
ટ્રમ્પ વહીવટીતંત્રે ઉચ્ચ કુશળ કામદારો માટે H-1B વિઝા માટે અરજદારોની ચકાસણી વધારવાની જાહેરાત કરી છે, જેમાં આંતરિક રાજ્ય વિભાગના મેમોમાં કહેવામાં આવ્યું છે કે વાણી સ્વાતંત્ર્યના “સેન્સરશિપ”માં સામેલ કોઈપણ વ્યક્તિને અસ્વીકાર માટે ધ્યાનમાં લેવામાં આવશે. H-1B વિઝા, જે યુ.એસ. નોકરીદાતાઓને વિશેષ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે, તે યુ.એસ. ટેક કંપનીઓ માટે […]
CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ ૨૭ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
ગુણવત્તામાં બાંધછોડ વિના સમય મર્યાદામાં પૂરા કરવા અધિકારીઓને તાકિદ રેલવેને સ્પર્શતા રૂ.૪૧૯૦ કરોડના છ રેલવે પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત સામખીયાળી-ગાંધીધામ રેલવેના ચાર માર્ગીયકરણ, રાજકોટ-કાનાલુસ ૧૨૨ કિ.મી લાઈનનું ડબલિંગ, નલિયા અને વયોર વચ્ચે નવી બ્રોડગેજ લાઈન, મોટી આદરજ વિજાપુર ગેજ કન્વર્ઝન, વિજાપુર- આંબલીયાસણ ગેજ કન્વર્ઝન અને નલિયા – જખૌ નવી લાઈનના પ્રોજેક્ટ એમ સમગ્રતયા રાજ્યમાં હાથ ધરાઈ […]
રાજકોટમાં જાહેરમાં ફાયરિંગની ઘટનામાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
ગુજરાતમાં અવારનવાર મારામારી ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાએ ચકચારી મચી હતી. રાજકોટમાં જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાના ગંભીર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પેંડા ગેંગને હથિયારો સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ભીંડી જિલ્લાના ઇસુરી ગામેથી આ આરોપી, રાજેશસિંહ રાજાવત, પકડી પડાયો છે. તપાસમાં ખુલાસો થયો […]
ભાવનગરનાં વૈજ્ઞાનિકોએ યુરિન ઇન્ફેક્શન ડિટેક્ટ કરતો સેટ બનાવ્યો, ૨ દિવસના બદલે ૯ કલાકમાં રિપોર્ટ મળશે
હવે મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન નો ટેસ્ટ ફક્ત ૬થી ૯ કલાકમાં થશે અને એ પણ માત્ર ૧૫ રૂપિયાના ખર્ચે બનેલી કિટથી. પહેલાં આ ટેસ્ટમાં ૧ હજારથી માંડીને ૩ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો અને એનો રિપોર્ટ આવતાં ૩૬થી ૪૮ કલાક થતા હતા. ભાવનગરની CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ […]
‘લાલો’ ફિલ્મનાં પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને કલાકારોને પોલીસનું તેડું
ગુજરાતી ફિલ્મ ‘લાલો‘ના કલાકારો ૨ ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મના કલાકારોની એક ઝલક જાેવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે પોલીસે ૩ ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી અને મોલ મેનેજર સમીર વિસણીને બોલાવી પૂછપરછ કરી હતી. ત્યારે હવે ઘટનાની […]
જેલમાં બંધ કીર્તિ પટેલ સામે વધુ એક FIR
સુરતના વેપારીએ સો.મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો ૧૦મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ […]
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ૦૫૮નું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે. આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ છ્ઝ્રએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું હતું. ધમકીભર્યો મેલ […]










