Gujarat

મોરબીમાં વીજધાંધિયાથી રહીશો લાલઘૂમ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોઓરડી પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે રોજેરોજ સર્જાતી વીજ સમસ્યાએ રહીશોની ધીરજ ખૂટવી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે આખેઆખો દિવસ વીજળી ગુલ રહેતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ ઉચ્ચ વીજ અધિકારી ડે. એન્જિનિયર અંબાણીને ફોન કરીને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “જો તંત્ર વીજળીના બિલમાં […]

Gujarat

મોરબીના વીસીપરામાં કચરાના ઢગમાં આગ પવનને પગલે આગ વધુ પ્રસરતા ફફડાટ ફેલાયો

મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી રોજે રોજ આગના બનાવો સામે આવી રહ્યા છે અને કચરાના ઢગલામાં અચાનક આગ ભભુકી ઊઠતા ફાયર ફાઇટર્સને દોડવું પડી રહ્યું છે. આજે ગુરુવારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો હતો જેમાં વીસીપરા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ કારખાના પાસે આગનો બનાવ બનતા આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. […]

Gujarat

ટંકારામાં પતિએ બીજી પત્નીની હત્યા કરી

ટંકારાના લજાઈ ગામ નજીક એક કારખાનાના ક્વાર્ટરમાં પતિએ પોતાની બીજી પત્નીની હત્યા કરી નાખી હતી. પહેલી પત્ની છોડી જવાના મુદ્દે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીના માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિએ મૃતદેહને લજાઈ ગામ નજીક ભીમનાથ મંદિરથી આગળ ડેમ પાસે બાવળની ઝાડીમાં ફેંકી દીધો હતો. આ ઘટનાની […]

Gujarat

કાળુભારોડ પર બંગલો ભાડે રાખી ચાલતા દારૂના નેટવર્કનો પર્દાફાશ

ભાવનગર શહેરના કાળુભા રોડ જેવા પોશ વિસ્તારમાં ભાડે રાખેલા બંગલામાં એલસીબીએ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. ભાડાના બંગલામાં ચાલતું હતું ગોડાઉન બાતમીના આધારે એલસીબીએ નાનભાવાડી, કાળુભા રોડ પર આવેલા પ્લોટ […]

Gujarat

જામનગર શહેર-જિલ્લામાં વધુ 56 સાથે કુલ 61 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે આગામી તા.11ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુરૂવાર તા.9થી ફોર્મ ભરવા માટેનો રાફડો ફાટ્યો હોય તેમ ગુરૂવારે એક જ દિવસમાં મહાનગરપાલિકા, સીક્કા ન.પા. તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં મળીને કુલ 56 ફોર્મ ભરાયા છે. તો બુધવારે 5 ફોર્મ ભરાતા કુલ 61 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જામનગર મહાનગરપાલિકાની 64 […]

Gujarat

રાજ્યના પોલીસ વડાશ્રીના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની સમીક્ષા બેઠક યોજાઈ

સાયબર ગુનાઓ સામેની લડતમાં ‘પ્રોએક્ટિવ અભિગમ‘ અનિવાર્ય: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન હેલ્પલાઇન ૧૯૩૦, ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર જાગૃતિ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરાઈ ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડ્ઢય્ઁ) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર […]

Gujarat

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : અમદાવાદમાં માત્ર ૩.૫ કલાકમાં ૩૪ મીટર લાંબા અને ૧૩૬૦ ટન વજનના પોર્ટલ બીમનું સફળ લોન્ચિંગ

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મણિનગર ખાતે અમદાવાદ–વડોદરા રેલવે લાઇન ઉપર આશરે ૧૩૬૦ મેટ્રિક ટન વજનનું સૌથી ભારે પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમ (ગર્ડર) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ બીમ એક પ્રીકાસ્ટ કોંક્રિટ રચના છે, જેની લંબાઈ ૩૪ મીટર છે અને તેનું ક્રોસ-સેક્શન ૫.૫ મીટર ટ ૪.૫ મીટર છે. મણિનગર રેલવે સ્ટેશન નજીક આવા કુલ […]

Gujarat

મુસાફરોને મોટો લાભ મળશે :છઝ્ર કોચમાં રૂ.૪૦૦, સ્લીપરમાં રૂ.૧૫૦ સુધી ભાડામાં ઘટાડો થયો

રેલવેએ અસારવા–આગ્રા કેન્ટ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન હવે રેગ્યુલર ટ્રેન તરીકે દોડશે. હાલ સુધી ટ્રેન નં.૦૧૯૧૯/૦૧૯૨૦ તરીકે દોડતી ટ્રેન હવે નવા નંબર ૨૦૧૭૭/૨૦૧૭૮ સાથે સુપરફાસ્ટ તરીકે દોડાવાશે. ૯ એપ્રિલથી આ ટ્રેન રેગ્યુલર થતાં એસી કોચમાં રૂ.૧૫૦થી ૪૦૦ અને સ્લીપરમાં રૂ.૫૦થી ૧૫૦ સુધી ભાડામાં ઘટાડો થશે. સ્પેશિયલ ટ્રેનમાં ૧૦થી ૩૦ ટકા વધુ ભાડું વસૂલાતું હતું. બપોરે […]

Gujarat

NHL મેડિકલ કોલેજમાં રેસિડન્ટ ડોક્ટર માટે શિફ્ટ સિસ્ટમ, સારવાર પર અસર નહીં પડે

મ્યુનિ. સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટરો માટે ડ્યુટીના કલાકો નક્કી કરાયા છે. હવે કોઈ પણ રેસિડન્ટ ડોક્ટર પાસેથી સતત ૧૨ કલાકથી વધુ ડ્યુટી લેવામાં નહીં આવે, તેમજ સપ્તાહમાં કુલ ૪૮ કલાકથી વધુ કામ પણ નહીં લેવાય. લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરો તરફથી વધતા કાર્યભાર અને માનસિક દબાણ અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કોલેજ […]

Gujarat

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરતા પનીર અંગેનું બોર્ડ ન લગાવતા ભૈરવનાથ પંજાબી તડકા સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને પનીરનો ઉપયોગ કરનાર તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને મિલ્ક પનીર/એનાલોગ પનીર (નોન ડેરી પ્રોડક્ટ)ના ઉપયોગ અંગે સ્પષ્ટપણે દર્શાવવા સૂચના આપી છે. છસ્ઝ્ર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વસ્ત્રાલ વિસ્તારમાં ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટ દ્વારા પનીર અંગેનું મેનુ કાર્ડ […]