પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ રવિવાર, ૩ ઓગસ્ટના રોજ પુષ્ટિ આપી કે તે ભવિષ્યના આવૃત્તિઓમાંથી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) માં તેમની ટીમના ભાગ લેવા પર ‘બ્લેંકેટ પ્રતિબંધ‘ લાદશે. PCB એ આરોપ લગાવ્યો કે ઇન્ડિયા ચેમ્પિયન્સ વિરુદ્ધ પાકિસ્તાન ચેમ્પિયન્સ રદ કરવા અંગે WCL આયોજકોના નિવેદનો અને પ્રેસ રિલીઝ “દંભ અને પક્ષપાતથી દૂષિત” હતા. મોહસીન નકવીની […]
Author: JKJGS
જાે રૂટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, WTC માં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો
ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જાે રૂટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૬૦૦૦ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ૫૦૦૦ રન બનાવનાર પ્રથમ ખેલાડી રૂટે ભારત સામેની પાંચમી ટેસ્ટની બીજી ઇનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. પાંચમી ટેસ્ટમાં પ્રવેશતા, રૂટને આ સિદ્ધિ મેળવવા માટે ૫૪ રનની જરૂર હતી. તે પ્રથમ ઇનિંગમાં આ સિદ્ધિ […]
પીઢ તમિલ અભિનેતા અને સંગીતકાર મદન બોબનું ૭૧ વર્ષની વયે અવસાન
એક હૃદયદ્રાવક ઘટનાક્રમમાં, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ ફરી એકવાર તેના પ્રિય સ્ટારમાંથી એકના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યો છે. અભિનેતા અને મિમિક્રી કલાકાર મદન બોબનું ૨ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ ચેન્નાઈમાં અવસાન થયું, જેના કારણે તેમના ચાહકો અને ઉદ્યોગ ઊંડા આઘાત અને દુ:ખમાં ડૂબી ગયા. ફિલ્મો અને ટેલિવિઝન બંનેમાં તેમના શાનદાર અભિનય માટે જાણીતા, મદન […]
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજાેમાં ૫૯૦૦થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે
શૈક્ષણિક કાર્યકાળ સાથે નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સુવર્ણતક હવે શૈક્ષણિક કાર્યકાળ સાથે નોકરી કરવા માંગતા લોકો માટે એક નવી તક ઉભી થવાની છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજાેમાં શૈક્ષણિક સ્ટાફની મોટાપાયે ભરતી બહાર પડી છે. જેમાં વિવિધ કોલેજાે માટે પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લાયબ્રેરિયન સહિતની કુલ ૫૯૦૦ થી વધુ જગ્યાઓ […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે ૪૧૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા
મોરબી પોરબંદર અને નડિયાદની નવરચિત મહાનગર પાલિકા સહિત ૭ મહાનગરપાલિકા અને ૧૨ નગરપાલિકાઓને મળશે જન સુખાકારીના કામોનો લાભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અન્વયે રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ અને ૧૨ નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે ૪૧૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ […]
રાજ્યમાં સમય પહેલા જ પુષ્કળ વાવેતર થતા સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને વણજાેઈતી સંગ્રહખોરી ન કરવા કૃષિ મંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના ૬૧ ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો […]
ભાવનગરમાં બે નવા રેલવે ટર્મિનલ તેમજ પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતના ભાવનગરથી ૩ નવી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ ભાવનગર – અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ અને જબલપુર -રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ . મોહન યાદવ અને છત્તીસગઢના […]
ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપનીની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના શ્રીમતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિ ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.ની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ભાવનગર – […]
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રીની અપીલને દોહરાવતા દેશવાસીઓને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવા હાકલ કરી
આપણા દેશમાં બનેલા ઉત્પાદનો ખરીદવાથી ઉત્પાદકોની આવક વધશે, જેનાથી અર્થતંત્ર મજબૂત થશે: શ્રી શિવરાજ સિંહ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ફરી એકવાર પ્રધાનમંત્રીની અપીલનો પુનરોચ્ચાર કર્યો અને દેશવાસીઓને દેશમાં બનેલા ઉત્પાદનો ખરીદવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન […]
‘પોલીસ અને સીબીઆઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો‘: આરજી કર દુષ્કર્મ પીડિતાના માતા-પિતા ન્યાય માટે ન્યાયતંત્ર તરફ વળ્યા
કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીના માતા-પિતા હજુ પણ ન્યાયની રાહ જાેઈ રહ્યા છે. આ દુ:ખદ ઘટના ગયા વર્ષે ૯ ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે હોસ્પિટલ કેમ્પસમાં એક સેમિનાર રૂમમાં યુવાન મેડિકલ વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ડોક્ટરના પિતાએ કહ્યું કે તેમનો પોલીસ અને સીબીઆઈ પર વિશ્વાસ ઉઠી ગયો […]










