રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક રસ્તામાં ભૂવા પડવા અને જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ શેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં આવેલી કાળા રંગની પ્લાસ્ટિકની પાણીની ટાંકી અચાનક ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટનામાં ૧૦થી વધુ ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કર્યા હતા. બીરજુ એપાર્ટમેન્ટમાં ધાબે […]
Author: JKJGS
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના એપ્રિલ ૨૦૨૫ના આંકડા મુજબ ઈન્ટરનેટ વપરાશ કર્તાઓનો આંકડો ૯૪.૩ કરોડને વટાવી ગયો
માહિતી નિયામકની કચેરીનો ડિજિટલ માધ્યમ થકી જનજાગૃતિ અભિગમ : મારી યોજના પોર્ટલ એક અનોખી પહેલ સોશિયલ મીડિયા સામાજિક અવરોધો ઘટાડે છે તેમજ તે ઓળખના આધારે નહીં પરંતુ, માનવીય મૂલ્યોના બળ આધારે લોકો સાથે જાેડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ છેલ્લાં દાયકામાં દેશમાં ડિજિટલ ક્ષેત્રે આમૂલ પરિવર્તન જાેવા મળ્યું છે, આજે ખૂબ ઓછી કિંમતે ઉપલબ્ધ […]
સુરતના કતારગામમાં બોક્સ ક્રિકેટનો શેડ અચાનક ધરાશાયી થતાં ફાયર વિભાગે કર્યું લોકોનું રેસ્ક્યૂ
ભારે પવન અને વરસાદના કારણે સુરતના કતારગામમાં એક મોટી જાનહાનિ ટળી સુરતના કતારગામ ડભોલી વિસ્તારોમાં આવેલા ધ ડોટબોલ ક્રિકેટ બોક્સ ખાતે કેટલાક યુવકો ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે અચાનક બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થવાની ઘટના બની હતી જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. કતારગામ ડભોલીમાં ધ ડોટબોલ ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. […]
વઝીરિસ્તાન હુમલા અંગે પાકિસ્તાનના દાવાને ભારતે નકારી કાઢ્યો
રવિવારે (૨૯ જૂન) ભારતે ઉત્તર વઝીરિસ્તાનમાં થયેલા ઘાતક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ સાથે પાકિસ્તાનના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા, જેમાં ૧૩ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. નવી દિલ્હીએ આ આરોપોને ફગાવી દીધા, અને નિવેદનને “અપમાનજનક” ગણાવ્યું. ‘નિવેદન તિરસ્કારને પાત્ર છે‘ રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, વિદેશ મંત્રાલય એ કહ્યું, “પાકિસ્તાન અંગેનું નિવેદન- અમે પાકિસ્તાની સેના દ્વારા […]
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી
ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને, સાવચેતીના પગલા તરીકે ચારધામ યાત્રા એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. જાનમાલની સલામતી માટે આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે. અધિકારીઓએ યાત્રાળુઓને સલાહ આપી છે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે અને હવામાનની સ્થિતિ સુધરે અને રસ્તાઓ સાફ ન […]
કટોકટી લાદનારાઓનો હેતુ ન્યાયતંત્રને ગુલામ રાખવાનો પણ હતો: પીએમ મોદી
દેશમાં કટોકટી લાદનારાઓએ માત્ર બંધારણની હત્યા જ નહીં પરંતુ ન્યાયતંત્રને પોતાની કઠપૂતળી બનાવવાનો પણ ઇરાદો રાખ્યો હતો, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તે સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો પર થયેલા અમાનવીય અત્યાચારોના અનેક ઉદાહરણો ક્યારેય ભૂલી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કટોકટી […]
મધ્યપ્રદેશમાં નક્સલવાદ નાબૂદ થવાના આરે: ડીજીપી કૈલાશ મકવાણા
મધ્ય પ્રદેશના પોલીસ વડા કૈલાશ મકવાણાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના માત્ર એક જિલ્લા સુધી મર્યાદિત નક્સલવાદની સમસ્યા નાબૂદ થવાના આરે છે. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસે છેલ્લા છ મહિનામાં એન્કાઉન્ટરમાં ૧૦ નક્સલીઓનો ખાત્મો કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. ઇન્દોર ઝોનના પોલીસ અધિકારીઓની બેઠક દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ટોચના પોલીસ અધિકારી આ વાત કરી રહ્યા […]
રાજસ્થાનમાં પાઇપલાઇન ખોદકામ દરમિયાન વરસાદથી ભીંજાયેલી માટી ખાડામાં પડતાં ૪ લોકોના મોત
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે સવારે પાઇપલાઇન ખોદકામ દરમિયાન માટીનો એક ભાગ ધસી પડતાં ઓછામાં ઓછા ચાર મજૂરોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટના જાંગી કા નાગલા ગામ નજીક બની હતી, જ્યાં પાઇપલાઇન નાખવા માટે ૧૦ ફૂટ ઊંડી ખાઈ ખોદવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓના હવાલેથી મીડિયા સૂત્રોના […]
AAPએ અમૃતસર ઉત્તરના ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપને અનુશાસનહીનતાના કારણે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
આમ આદમી પાર્ટી (AAP) એ રવિવારે અમૃતસર ઉત્તરના પંજાબ ધારાસભ્ય અને ભૂતપૂર્વ IPS અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહ સામે મોટી શિસ્તભંગની કાર્યવાહી કરી, તેમને પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા. પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો, જેમાં તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી અને પક્ષ શિસ્ત ભંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વિજિલન્સ કાર્યવાહી પર […]
વસ્તી ગણતરી ૨૦૨૭: કેન્દ્રએ રાજ્યોને ૩૧ ડિસેમ્બર સુધીમાં વહીવટી સીમાઓને અંતિમ સ્વરૂપ આપવા કહ્યું
રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા ૨૭ જૂનના રોજ મોકલવામાં આવેલા સંદેશાવ્યવહાર અનુસાર, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ પહેલાં વહીવટી અધિકારક્ષેત્રોની સીમાઓમાં કોઈપણ પ્રસ્તાવિત ફેરફારો કરવા જણાવ્યું છે, જ્યારે તેઓ ૨૦૨૭ ની વસ્તી ગણતરી માટે સ્થિર થશે અને દાયકાની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો આવતા વર્ષે ૧ એપ્રિલથી […]










