ઓડિશામાં તેજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે અનેક જગ્યાએથી વીજળી પડવાના સમાચાર પણ સામે આવ્યા હતાં. વિવિધ જગ્યાએથી વીજળી પડવાની ઘટનામાં ૬ મહિલા સહિત ઓછામાં ઓછા ૯ લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોરાપુટ જિલ્લામાં ત્રણ લોકોના વીજળી પડવાના કારણે મોત નિપજ્યા […]
Author: JKJGS
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર સહિત ૬ની ધરપકડ
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. તેમના સહિત ૬ લોકો અરેસ્ટ થયા છે. જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથેના સંબંધોના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. JyOi MalhOra espionag “ટ્રાવેલ વિથ” નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસર જ્યોતિ મલ્હોત્રાએ વર્ષ ૨૦૨૩માં […]
જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ ભારતીય સશસ્ત્ર દળોને રૂબરૂ મળીને પ્રશંસા કરી, કહ્યું ‘પાકિસ્તાનમાં એવું કંઈ નથી જે પહોંચની બહાર હોય‘
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શનિવારે તંગધાર સેક્ટરમાં સરહદી વિસ્તારની મુલાકાત લીધી અને સશસ્ત્ર દળોના સભ્યો સાથે વાતચીત કરી. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે ભારતીય સશસ્ત્ર દળોની તેમની બહાદુરીની પ્રશંસા કરી અને ભાર મૂક્યો કે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધવિરામ માટે વિશ્વભરમાં વિનંતી કરવી પડી. સિન્હાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત યુદ્ધના પક્ષમાં નથી અને શાંતિથી રહેવા […]
૧૫ કાઉન્સિલરોએ આપ થી જુદા પડી ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી‘ની કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (આપ) ને વધુ એક મોટો ઝટકો રાષ્ટ્રીય રાજધાની ખાતે એક મોટા રાજકીય ઘટનાક્રમમાં, આમ આદમી પાર્ટી (છછઁ) ના ૧૫ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે અને એક નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી છે, જે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી માટે મોટો ઝટકો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સ્ઝ્રડ્ઢ) માં ત્રીજા મોરચાની […]
ઉત્તરાખંડના કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી
ઋષિકેશ એઈમ્સથી એર એમ્બ્યુલન્સ કેદારનાથ પહોંચતાજ થયું ક્રેશ ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ઋષિકેશ એઈમ્સથી એર એમ્બ્યુલન્સ કેદારનાથ પહોંચ્યું. આ સમયે કેદારનાથના હેલિપેડ પર લેન્ડિંગ કરતા પહેલા જ ક્રેશ થઈ ગયું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શનિવારે ઋષિકેશ એઈમ્સનું […]
શશી થરૂર ૫ મુખ્ય દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે, રાષ્ટ્રીય હિત પ્રત્યે ફરજ પર ભાર મૂકશે
ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પછી મુખ્ય રાજદ્વારી સંપર્કમાં સાત પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ કરનારા રાજકીય ક્ષેત્રના સાત સાંસદોમાં કોંગ્રેસના નેતા શશી થરૂરનો સમાવેશ થાય છે. આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સહિત ભાગીદાર દેશોની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળમાં આમંત્રણ મળ્યા અંગે બોલતા, કોંગ્રેસના સાંસદે કહ્યું કે આતંકવાદ સામે ભારતના શૂન્ય-સહિષ્ણુતાના સંદેશનું પ્રતિનિધિત્વ […]
ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં ૯૦ મીટરનો થ્રો કરી ઈતિહાસ રચ્યો
ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાએ ફરી એકવાર રચ્યો ઇતિહાસ; આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યું દેશનું માન ભારતના ખ્યાતનામ ગોલ્ડ મેડાલિસ્ટ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા એ દોહા ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે જેથી દેશનું માં આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર વધ્યું છે. નિરજે પોતાની કારકિર્દીમાં પહેલી વાર ૯૦ મીટરનો થ્રો કર્યો છે, અત્યાર સુધીમાં નીરજનો શ્રેષ્ઠ થ્રો ૮૯.૪૫ મીટર […]
ન્યૂયોર્કમાં સ્ટેજ પર સલમાન રશ્દીને ચાકુ મારનાર હુમલાખોરને કોર્ટે ૨૫ વર્ષની જેલની સજા ફટકારી
વર્ષ ૨૦૨૨માં ન્યૂયોર્કના એક વ્યાખ્યાન મંચ પર લેખક સલમાન રશ્દીને છરીથી મારવાના દોષિત હાદી માતરને શુક્રવારે ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં જ્યુરી દ્વારા ૨૭ વર્ષીય વ્યક્તિને હત્યાના પ્રયાસ અને હુમલાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. હુમલામાં એક આંખે અંધ બનેલા રશ્દીએ પીડિતાનું નિવેદન રજૂ કર્યું હતું પરંતુ સજા સંભળાવવા માટે કોર્ટમાં હાજર થયા […]
‘ટુ ઈઝી LoL‘: ટોયલેટ પાછળની સેલ દિવાલમાં છિદ્ર દ્વારા ૧૦ કેદીઓ અમેરિકાની ન્યૂ ઓર્લિયન્સ જેલમાંથી ભાગી ગયા
યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુ ઓર્લિયન્સ શહેરમાં ઓછામાં ઓછા દસ કેદીઓ શૌચાલય પાછળના છિદ્રમાંથી પસાર થઈને, દિવાલ પર ચઢીને જેલમાંથી ભાગી ગયા હતા. વિગતો મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે તેમના સેલમાં સોંપાયેલ એકમાત્ર ગાર્ડ ખોરાક લેવા માટે બહાર હતો. ભાગી જવા માટે વપરાયેલા છિદ્રની ઉપર, દિવાલ પર સંદેશાઓ લખેલા હતા – જેમાં “ખૂબ સરળ ન્ર્ંન્” લખેલું […]
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ ઇઝરાયલના ગાઝા પર હુમલામાં ૬૪ના મોત
ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર તબાહી મચાવી ઇઝરાયલ ના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ આદેશ પર ઇઝરાયલી સેના દ્વારા ગાઝામાં ભયંકર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૬૪ લોકોના મોત થયા હતા, હમાસનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ૪૮ શબ ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે ૧૬ શબ નાસેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, અમેરિકાના પ્રમુખ […]










