પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે પવિત્ર ત્રિવેણી સંગમ આવેલ છે ત્યારે અહીં અનેક પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે નદીમાં વધી રહેલા કચરાને ધ્યાનમાં રાખીને ડ્રેજિંગ મશીન મૂકી કચરો કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથ સાનિધ્યે પ્રતિદિન હજજારો યાત્રિકો આવતા હોય છે જે અહીં નજીકમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે પણ પધારતા હોય છે ત્યારે પ્રવાસીઓના ઘસારાને […]
Gujarat
ઓણ સાલ પોરબંદર પંથકના 32457 ખેડૂત પાસેથીરૂ 544.46 કરોડની મગફળી ટેકાનાં ભાવે ખરીદાઈ
પોરબંદર જિલ્લામાં આ વર્ષે રેકોર્ડબ્રેક મગફળીની ખરીફ પાકમાં વાવેતર નોંધાયું હતું ત્યારે ખરીફ પાકમાં મગફળીની રેકોર્ડબ્રેક વાવેતર તેમજ કમોસમી વરસાદથી નબળી ગુણવત્તાની પણ મગફળીની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરી હોવાથી છેલ્લા 3 વર્ષમાં આ વર્ષે રેકોડબ્રેક મગફળીનું ટેકાના ભાવે ખરીદી થઈ હતી. પોરબંદર જિલ્લામાં આ વર્ષે 32457 ખેડૂતો પાસેથી રેકોર્ડબ્રેક રૂ.544.46 કરોડની ટેકાના ભાવે […]
પેટ્રોલ પંપને મળતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ
ઈરાન અને અમેરિકા-ઈઝરાય વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક […]
જોરાવરનગરમાં સવા આયુષ હોસ્પિટલમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
જોરાવરનગરની સવા આયુષ હોસ્પિટલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના સન્માન નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નવા આધુનિક વિભાગોનું પણ લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસેવલીયા, સુરેન્દ્રનગર-વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ […]
સુરેન્દ્રનગરના ખેડૂતે ઇઝરાયેલી લીલા અંજીરની ખેતી કરી મબલખ આવક મેળવી
સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામના વતની અને મિલનભાઇ રાવલે પોતાના 20 વીઘાના ફાર્મમાં 8 હજાર જેટલા લીલા અંજીરનું વાવેતર કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. માત્ર 9 માસમાં પ્રતિદિન 100 કિલો ઉત્પાદન મેળવતા આ પ્રગતિશીલ ખેડૂતનું લક્ષ્ય રોજના 300 કિલો અંજીર ઉત્પાદનનું છે. તેમણે સૂકી આબોહવાવાળા પંથકમાં આ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી તેની સમગ્ર જાણકારી […]
જૂનાગઢની કોલેજની વિદ્યાર્થિનીએ કેશોદના ઘરે આપઘાત કર્યો
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના જ મકાનના ઉપરના રૂમમાં પંખા સાથે કપડાનું દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની જૂનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નજીકમાં જ પરીક્ષા હોવાથી તેના […]
દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબૂ ગુમાવતા કારને અથડાઈને ટેમ્પો પલટી ગયો
દ્વારકા તાલુકાના બરાડિયા ગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીક ગત સાંજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા ગૌવંશને બચાવવાના પ્રયાસમાં એક ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો કાર સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પશુને બચાવતાં ટેમ્પો કારને ટકરાયો પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાથી […]
રાજકોટ શહેરમાં IOC ના 7 પેટ્રોલ પંપ બંધ યુધ્ધ વચ્ચે પેટ્રોલ – ડિઝલની સપ્લાય ચેનમાં મૂશ્કેલી
ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રેગ્યુલર પૂરો પાડવા માટે પેટ્રોલ – ડીઝલ ડીલર એસોસિએશન દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1000 થી વધુ પેટ્રોલ પંપના પ્રતિનિધિઓએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટેની માંગ કરવામાં આવી હતી. આ […]
રાજકોટ SOGએ ગેસ સિલિન્ડર કાળાબજાર રેકેટ ઝડપ્યું
રાજકોટ ગ્રામ્ય SOGએ ગોંડલ તાલુકાના રીબડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અને કાળાબજારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ‘સાંઈપ્રેમ ગેસ એજન્સી’ પર દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ SOG ટીમે આ કાર્યવાહી કરી હતી. રીબડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં […]
રાજકોટને ઉનાળામાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળી
રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે. જોકે ઉનાળામાં પણ રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશા ફેલાઈ છે. રાજકોટ એરપોર્ટ […]










