છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક અને તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોને થયેલા પાક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા માટે આમ આદમી પાર્ટીએ સરકાર પાસે માંગ કરી છે. સરકાર પાક નુકસાનનો સેટેલાઇટ […]
Gujarat
અમરેલીના આસરણામાં મજૂરોને માર મારતા MLA હીરા સોલંકી પહોંચ્યા
અમરેલી જિલ્લામાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.રાજુલા વિધાનસભા ક્ષેત્રના પટવા ગામના મજૂરો સ્થાનિક ખેડૂતોની વાડીમાં મજૂરી કરવા માટે ટ્રેક્ટર લઈને નાના આસરણા ગામ ગયા હતા. ત્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મજૂરોને માર મારવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી આ ઘટનાની જાણ ધારાસભ્ય હીરા સોલંકીને થતાં તેઓ […]
રાજુલા, જાફરાબાદ સહિત અનેક તાલુકામાં પાકને ભારે નુકસાન
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પરિણામે અમરેલીના ખેડૂતો પાયમાલ બન્યા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ વરસાદથી મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પડેલો મગફળીનો પાક […]
31મી ઓક્ટો.એ પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગરમાં ભવ્ય પરેડ
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી આ વર્ષે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે. રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી, ભવ્ય પરેડ, ટેબ્લોઝ, લાઇટિંગ શો અને સંગીતમય કાર્યક્રમો સાથે અનોખું દૃશ્ય સર્જાશે. નવી દિલ્હીની પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે ભવ્ય એકતા પરેડ યોજાશે. […]
2 નવેમ્બરથી પરિક્રમાનો પ્રારંભ થશે, પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ
આગામી 2 નવેમ્બરથી શરૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં જોડાવાના હોવાથી તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સુવિધા જળવાઈ રહે તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ‘પ્લાસ્ટિક મુક્ત […]
પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન
પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં કપાસનું એક મુખ્ય સ્થાન છે, જેને “સફેદ સોનું” પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે, પરંતુ શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, જમીનમાં સેન્દ્રિય કાર્બન ઓછો હોવાથી […]
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી ‘યુનિટી માર્ચ’ જન અભિયાનના ભાગરૂપે પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના પ્રાંત […]
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ – તમામ બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવાયા
અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા વાવાઝોડાના પગલે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવવામાં આવ્યા છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે, સાથે જ 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સમગ્ર કચ્છની સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ હવામાનમાં પલટો જોવા […]
રાજકોટ દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે – કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા
રાજકોટને આજથી દિલ્હીની સવારે અને સાંજે બે નવી એર કનેક્ટિવિટી મળતા રોજ ચાર ફ્લાઈટ ઉડાન ભરશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખ માંડવિયા રવિવારથી રાજકોટ દિલ્હી વચ્ચે શરુ થયેલી નવી ફ્લાઈટમાં યાત્રા કરી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતાં મેયરશ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી […]
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનું માદરે વતન નાના સુરકા ગામે ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું
મંત્રીશ્રીએ માતૃભૂમિને શીશ નમાવીને પ્રણામ કર્યા બાદ ગામના વિવિધ મંદિરોમાં દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી પુન: કેબિનેટ મંત્રી બનતા સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આ ખુશીના પગલે ઠેર ઠેર તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમના માદરે વતન નાના સુરકા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન […]










