તાજેતરમાં જૂનાગઢની પ્રસિદ્ધ ડૉ. સુભાષ યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં મૂળ જામનગર ના વતની જોઇસર રાધે જગદીશભાઈએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે. તેઓએ બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન (B.P.Ed.) ના અભ્યાસક્રમમાં 8.33 CGPA સાથે ‘ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન’ મેળવીને પદવી પ્રાપ્ત કરી છે. તેમની આ સિદ્ધિ બદલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા […]
Gujarat
આરોગ્ય વિભાગના દરોડામાં ગુણવત્તાના ધજાગરા, માતેશ્વરી ડેરી એન્ડ સ્વીટ અને શ્રીજી ફૂડ્સ સામે કાયદેસરની તપાસ શરૂ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પરીક્ષણમાં મોટો ખુલાસો થયો છે, જેમાં બે જાણીતી સંસ્થાઓના ચીઝ અને પનીરના નમૂનાઓ ‘મિસ બ્રાન્ડેડ’ જાહેર કરવામાં આવ્યા છે. ફૂડ એનાલીસ્ટના રિપોર્ટ મુજબ આ નમૂનાઓમાં ફેટનું પ્રમાણ લેબલ પર દર્શાવવામાં આવેલી વિગતો કરતા અલગ હોવાનું માલુમ પડ્યું છે. આ ગંભીર ક્ષતિ બદલ ફૂડ સેફ્ટી એન્ડ […]
એસિડ પીધેલી યુવતીને SSG હોસ્પિટલે આપ્યું નવજીવન
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલે એસિડ પી લેનાર ૨૩ વર્ષીય યુવતીને નવજીવન બક્ષ્યું છે. આયુષ્માન ભારત યોજના હેઠળ ૮ કલાકની જટિલ સર્જરી દ્વારા યુવતીની અન્નનળીનું સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું, જેના પરિણામે તે હવે મોં વાટે ખોરાક લઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં રહેતી સુમિત્રા (નામ બદલ્યું છે) નામની ૨૩ વર્ષીય યુવતીએ હતાશામાં એસિડ પી લીધું હતું. […]
વડોદરા કોર્પોરેશન અકોટા-માંજલપુરમાં 24 કરોડના ખર્ચે મેઇન-બેબી સ્વિમિંગ પુલ બનાવશે
વડોદરા મહાનગરપાલિકા હાલના સ્વિમિંગ પુલોને યોગ્ય રીતે મેન્ટેન કરી શકતું નથી, ત્યારે બીજી તરફ હવે પાલિકા શહેરના અકોટા અને માંજલપુર વિસ્તારમાં મોટા લોકો અને બાળકો માટે સ્વિમિંગ પુલો બનાવવા માટે સ્થાઈ સમિતિમાં દરખાસ્ત લાવવામાં આવી છે. આ સ્વિમિંગ પુલો રૂપિયા 24 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમા મંજૂરી માટે આવેલી દરખાસ્તો મુજબ […]
સ્પોટર્સ કોમ્પલેક્ષ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના કામ માટે 81.62 લાખ મંજુર
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સફાઇ, રોડ, ભૂગર્ભ ગટર,સિકયુરીટી સહિતના જુદા જુદા વિકાસ કામો માટે રૂા. 9.82 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.જેમાં ખંભાળિયા રોડ પર સ્પોટર્સ કોમ્પલેક્ષ(ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસી આપવાના કામ માટે રૂા. 81.62 લાખના ખર્ચને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બુધવારે બપોરે ચેરમેન નિલેશ કગથરાના […]
જામનગરમાં સેક્રેટ હાર્ટ ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી
જામનગરના એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 58 વર્ષથી કાર્યરત આ ચર્ચમાં ઈસુના જન્મની વધામણી અને સમૂહ પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર ચર્ચને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને આતશબાજી પણ કરવામાં આવી હતી. શહેરમાં વસતા આશરે 300 કેથોલિક પરિવારોએ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અંબર ચોકડી પાસે […]
નાતાલના કાર્યક્રમો યોજી આદિવાસીઓને તેમની મૂળ સંસ્કૃતિથી અલગ કરવાનું ષડયંત્ર
સુરત જિલ્લામાં આદિવાસીઓની મૂળ પરંપરા અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે “દેવ બિરસા સેના” દ્વારા કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, આદિવાસી સમાજ આદિ-અનાદી કાળથી પોતાની રૂઢીચુસ્ત પરંપરાઓ મુજબ પૂંજ મૂકી દેવોની પૂજા કરતો આવ્યો છે. આ પરંપરાઓને ભારતીય સંવિધાનના અનુચ્છેદ-13-3 (ક) મુજબ રક્ષણ આપવામાં આવ્યું છે. સંગઠનનો આક્ષેપ છે કે હાલમાં […]
2.54 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતા રાહત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કિસાન સૂર્યોદય યોજના થકી દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) હેઠળના સાત જિલ્લાઓના 2.54 લાખથી વધુ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસ દરમિયાન વીજ પુરવઠો મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત, 4 ફેબ્રુઆરી 2024થી DGVCLના તમામ 807 ખેતીવાડી ફીડરોને આવરી લેવામાં આવ્યા છે. આનાથી […]
ગ્રામજનોએ દારૂબંધીના ચુસ્ત પાલનનો શૂર રેલાવ્યો
મહેસાણાના મગુના ગામે રાજકીય ઉહાપોહ થતા દારૂબંધી મામલે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે સ્થાનિક પોલીસ દ્વારા દારૂબંધી મામલે ગ્રામજનો સમક્ષ જ કાર્યવાહી અંગેની વ્યૂહરચના કરતા દારુબંધીના શૂરમાં ગ્રામજનોએ પણ પોલીસ સાથે શૂર પુરાવતા દારૂબંધી સમિતિની રચના કરાઈ હતી અને લાંબા સમયથી બંધ રહેલા મગુના આઉટ પોસ્ટને પુનઃ શરૂ કરવામાં આવી હતી. બુટલેગરો […]
જામનગરમાં નવા બનેલા 2 નંદઘરો 1 વર્ષથી બંધ ભુલકાઓને આરોગ્ય કેન્દ્રમાં બેસાડવાની ફરજ
જામનગર શહેરના વોર્ડ નં-13 વિસ્તારમાં નવા બનેલા બે નંદઘરો છેલ્લા એકાદ વર્ષથી બંધ હાલતમાં પડ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ નંદઘરો ઉપયોગમાં ન લેવાતા ધૂળખાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ આંગણવાડીના નાનાં ભુલકાઓને આરોગ્ય કેન્દ્રના એક જ રૂમમાં બેસાડવાની ફરજ પડી રહી છે. આ આરોગ્ય કેન્દ્રની હાલત પણ જર્જરિત જેવી હોવાથી બાળકોની સુરક્ષા […]










