Uncategorized

અમરેલીમાં આજે કોવિડ-૧૯ના ૮ શંકાસ્પદ કેસ નોંધાયા: ૩ નેગેટિવ અને ૫ ના રિપોર્ટ પેન્ડીંગ

અમરેલીમાં આજે કોવિડ-૧૯ના ૮ શંકાસ્પદ કેસ નોંધાયા: ૩ નેગેટિવ અને ૫ ના રિપોર્ટ પેન્ડીંગ

આજ સુધી ૪૯ શંકાસ્પદ કેસો નોંધાયેલા : ૪૪ નેગેટિવ અને ૫ ના રિપોર્ટ પેન્ડીંગ

જિલ્લામાં ૨૪૨૯ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૨૧૧૬ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ

૩૧,૯૨૯ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧,૫૫,૬૭૬ થી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ

જિલ્લાની ૭૬૧ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ

અમરેલી, તા. ૧૭ એપ્રિલ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે.

હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, ત્યારે હજુ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

જિલ્લામાં અનેક સ્થળે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે. આજ રોજ આ તમામ ચેકપોસ્ટમાં ૨૨ વાહનોની ચકાસણીમાં કુલ ૫૭ પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બહારના ૨૬ પેસેન્જરો હતા. આજરોજ ૨૪૨૯ પ્રવાસીઓ હોમ ક્વોરેન્ટઇનમાં છે જ્યારે ૨૧૧૬ પ્રવાસીઓએ હોમ ક્વોરેન્ટઇન પૂર્ણ કર્યો છે. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૪૫ પ્રવાસીઓ અને હાલ ૩ લોકો દાખલ થયા છે. તેમજ આજસુધીમાં લેવાયેલા કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલમાંથી તમામ ૪૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજરોજ ૮ વ્યક્તિના સેમ્પલ લેવાયાં જે પૈકી ૩ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે ૫ રિપોર્ટ પેન્ડિંગ છે. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૪૯ શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે.

આજના ૨૬ વ્યક્તિઓના રિપોર્ટ મળીને આજદિન સુધીમાં કુલ ૨૦૨ લોકોના તાવ,શરદી,ઉધરસ, શ્વાસની બીમારીનાં લેબોરેટરી ટેસ્ટ કરાયા છે. જેમાંથી આજે ૨ લોકોના રિપોર્ટ નેગેટિવ તેમજ અન્ય ૨૪ વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ છે.

આ સિવાય જિલ્લાના સરકારી તેમજ ખાનગી ફલૂ-કોર્નરમાં સામાન્ય શરદી,તાવ,શ્વાસની તકલીફ, ઉધરસવાળા ૨૧૯ દર્દીઓને સારવાર આપી સ્વૈચ્છિક કોરેન્ટઇન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે ૩૧૯૨૯ ઘરના કુલ ૧૫૫૬૭૬ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૫૪ વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી છે.
હોમ કોરેન્ટાઈન્ડ નો ભંગ કરવા બદલ આજદિન સુધીમાં કુલ ૧૦ લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના ૧૩૧ બેનરો લગાવવવામાં આવ્યા છે અને ૮૩૯ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે. ૪૪૮ જગ્યાઓમાં કોરોનાની જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૭૫૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૨૨ ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે. ઉપરાંત ૭૬૧ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.
——————–
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *