Uncategorized

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૪ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૯૫ કેસ નોંધાયા: ૯૧ નેગેટિવ અને ૪ ના રિપોર્ટ પેન્ડિંગ

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૪ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૯૫ કેસ નોંધાયા: ૯૧ નેગેટિવ અને ૪ ના રિપોર્ટ પેન્ડિંગ

રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૪૪ રિપોર્ટ કરાયા

જિલ્લામાં ૩૩૩૦ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૩૯૦૧ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ

૫૧ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૨.૫ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ

જિલ્લાની ૯૬૩ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ

રક્તદાન કરવા ઈચ્છતા લોકોને કંટ્રોલરૂમ નં. (૦૨૭૯૨) ૨૨૮૨૧૨ અથવા મો.નં. ૮૨૩૮૦૦૨૨૪૦ પર સમ્પર્ક કરવા અપીલ

અમદાવાદ ખાતેથી ૧૧૦૦ નંબર પર આરોગ્યલક્ષી હેલ્પલાઇન શરૂ

અમરેલી, તા. ૨૫ એપ્રિલ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, ત્યારે હજુ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

જિલ્લામાં અનેક સ્થળે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે. આજ રોજ આ તમામ ચેકપોસ્ટમાં ૩૩ વાહનોની ચકાસણીમાં કુલ ૯૬ પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બહારના ૪૬ પેસેન્જરો હતા. આજરોજ ૩૩૩૦ પ્રવાસીઓ હોમ ક્વોરેન્ટઇનમાં છે જ્યારે ૩૯૦૧ પ્રવાસીઓએ હોમ ક્વોરેન્ટઇન પૂર્ણ કર્યો છે. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૧૩૩ પ્રવાસીઓ અને હાલ ૮૫ લોકો દાખલ થયા છે. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા ૧૦૮ વ્યક્તિઓને સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

આજસુધીમાં લેવાયેલા કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલમાંથી તમામ ૯૧ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજરોજ ૪ વ્યક્તિના સેમ્પલ લેવાયાં જે તમામ રિપોર્ટ પેન્ડિંગ છે. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૯૫ શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે.

ઉપરાંત આજરોજ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૨૫ લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે રિપોર્ટ સહિત રેપીડ ટેસ્ટ દ્વારા કરવામાં આવેલા તમામ ૪૪ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૫૧ હજારથી વધુ ઘરના કુલ ૨.૫ લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૫૧ વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી છે. હોમ કોરેન્ટાઈન્ડનો ભંગ કરવા બદલ આજે એક વ્યક્તિ સામે એફ.આઈ.આર. સહિત આજ સુધીમાં કુલ ૧૨ લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના ૭૩૧ બેનરો લગાવવવામાં આવ્યા છે અને ૧૦૧૨ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે. ૪૭૬ જગ્યાઓમાં કોરોનાની જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૭૫૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૨૨ ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે. ઉપરાંત ૯૬૩ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.

ઉપરાંત લોકડાઉનની પરિસ્થિતિમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સહિતની અમરેલી જિલ્લાની બ્લડ બેંકમાં રક્તદાન માટે દાતાઓ ન આવતાં બ્લડની ઉણપ ન સર્જાય તે માટે રક્તદાન કરવા ઇચ્છુક દાતાઓએ અમરેલી જિલ્લાના કંટ્રોલરૂમ નં. (૦૨૭૯૨) ૨૨૮૨૧૨ અથવા મોબાઈલ નંબર ૮૨૩૮૦૦૨૨૪૦ પર સમ્પર્ક કરવાની અપીલ કરવામાં આવે છે.

જી.કે.સી.-ઇ.એમ.આર.આઇ. ૧૦૮ કઠવાડા અમદાવાદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ૧૧૦૦ નંબર પર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યના દર્દીઓને ૨૪ કલાક એમ.બી.બી.એસ., એમ.ડી. , ફિઝિશિયન, સાઇકોલોજીસ્ટ જેવા તમામ નિષ્ણાંત તબીબો દ્વારા ટેલી મેડિસિન, ટેલી કાઉન્સેલિંગ- પરામર્શ તેમજ ટેલી એડવાઇઝ આપવામાં આવે છે. જેનો લાભ અમરેલી જિલ્લાવાસીઓ પણ લઇ શકે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *