Uncategorized

અમરેલી જિલ્લાના ૧.૮ લાખ લોકોએ ઉકાળાનું અને ૧.૭ લાખ લોકોએ હોમિયોપેથી દવાનું સેવન કર્યું

અમરેલી જિલ્લાના ૧.૮ લાખ લોકોએ ઉકાળાનું અને ૧.૭ લાખ લોકોએ
હોમિયોપેથી દવાનું સેવન કર્યું

૩૧૯૦ લોકોએ ઘરઆંગણના ઔષધ અને ૫૮૭૩ લોકોએ સંશમની વટીનું સેવન કર્યું

અમરેલી, તા: ૧ મે

અમરેલી આયુર્વેદિક વિભાગ દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૦ થી ૩૦/૦૪/૨૦૨૦ દરમિયાન કોરોના વાયરસ પ્રતિબંધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાના કુલ ૧,૦૮,૦૫૨ જેટલા લોકોએ અમૃતપેય ઉકાળા અને ૧,૦૭,૯૦૦ લોકોએ હોમિયોપેથીક દવાઓનો લાભ લીધો હતો. ૩૧૯૦ લોકો એ ઘરઆંગણના ઔષધ નું સેવન કર્યું છે. તેમજ ૫૮૭૩ વ્યક્તિઓએ સંશમની વટીનું સેવન કર્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી યાદવે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે નાગરિકો સુધી કોરોનાના પ્રતિરોધક ઉકાળા અને દવાઓ પહોંચે તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતાએ વધુ માહિતી માટે આરોગ્ય ખાતાના અધિકારી ડૉ. વિવેક ગોસ્વામીનો ૯૮૯૮૨ ૫૫૪૮૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200501-WA0036-1.jpg IMG-20200501-WA0034-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *