Uncategorized

જૂનાગઢ તા.17.4.2020 જૂનાગઢ પોલીસે, *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવ્યું

*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા હાલમાં લોક ડાઉન તા. 03.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા જરૂરિયાત મંદોને મદદ કરવા આપેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને *માંગનાથ રોડ ઉપર કાપડની દુકાનમાં નોકરી કરતા અને જૂનાગઢ શહેરમાં રહેતા એક યુવાન નાલિનભાઈ ( નામ બદલ્યુ છે..) દ્વારા મોબાઈલ ફોનથી પોતાની વ્યથા રજુ કરતા જણાવેલ કે, પોતાના શેઠ કાપડના વેપારી હોય, તેઓ પોતાને હાલ કોઈ પગાર આપતા ના હોઈ, પોતાની હાલત કફોડી થઈ ગયેલ છે અને શાકભાજી તેમજ દૂધ માટે પણ વલખા મારતા હોવાની વાત કરી, મોબાઈલ ઉપર ગળગળો થઈને રડવા લાગેલ* હતો. યુવાનની વાત સાંભળી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા જૂનાગઢના વેપારી એસોસીએશનના હોદ્દેદારો ભુપેન્દ્રભાઈ, ભુપતભાઇ તન્ના, ચંદુભાઈ દક્ષિણી, હિતેશભાઈ સંઘવી, મહેન્દ્રભાઈ રૂપરેલીયા, વિગેરે સાથે *મિટિંગ કરી, કોરોના વાયરસના કારણે હતપ્રત થયેલ યુવાનને પગારની વ્યવસ્થા કરાવી* દેવામાં આવેલ હતી. ઉપરાંત, જૂનાગઢ પોલીસ દ્વારા વેપારી એશોષીએશનના હોદ્દેદારોને નોકરી કરતા યુવાનોને આર્થિક સહાય કરવા વ્યવસ્થા કરવા જણાવવામાં આવતા, વેપારી એસોસીએશન દ્વારા તમામ વેપારીઓને પોત પોતાની દુકાનો ઉપર કામ કરતા માણસોને આર્થિક મદદ કરવા માટે જણાવવામાં આવેલ હતી. આ ઉપરાંત *જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના વાયરસના કારણે હતપ્રત થયેલ યુવાનને પોલીસ મોબાઈલ મોકલી, અનાજ કરિયાણાની કીટ મોકલી મદદ* પણ કરવામાં આવેલ હતી. *જૂનાગઢ પોલીસની મધ્યસ્થી અને કાર્યવાહીથી યુવાન ખૂબ જ સંતોષની લાગણી સાથે આભાર* માન્યો હતો અને તેને ફરીથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને *ફોન કરી, પોતાના કપરા સંજોગોમાં કરવામાં આવેલ મદદને જિંદગીભર ભૂલી નહીં શકે તેવું જણાવી, ભાવ વિભોર* થયેલ હતો….._

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *