Uncategorized

પોલીસની એક યાદીમાં જણાવામાં આવેલ_પાસ પરમીટ વગરના કોઈપણ લોકો, કર્મચારી, મલિક કે મજૂર ને ચેક પોસ્ટ ઉપરથી પસાર કરવા દેવામાં નહીં આવે.

પોલીસની એક યાદીમાં જણાવામાં આવેલ_પાસ પરમીટ વગરના કોઈપણ લોકો, કર્મચારી, મલિક કે મજૂર ને ચેક પોસ્ટ ઉપરથી પસાર કરવા દેવામાં નહીં આવે.

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા કોરોના વાયરસ અંતર્ગત બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જુનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ખોલવામાં આવેલ ચેક પોસ્ટ ઉપર વધુ કડક ચેકીંગ હાથ ધરી, વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકો ઉપર ગુન્હાઓ નોંધી, પરત કરવાની કાર્યવાહી કરવા સુચનાઓ* કરવામાં આવેલ છે……_

💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવતા તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

💫 _*જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા નાકાઓ ઉપર પાડોશી જિલ્લામાંથી પ્રવેશતા માર્ગો ઉપર કુલ 11 (અગિયાર) જેટલી ચેકપોસ્ટ ઉપર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને તૈનાત કરી, સઘન ચેકીંગ હાથ ધરી, બહારના જિલ્લાઓમાંથી જૂનાગઢ જીલામાં તથા પાડોશી ગીર સોમનાથ જીલ્લામાં વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી,*_ચેક પોસ્ટ ઉપર ખાસ ચેકીંગ યોજી, ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, અમદાવાદ, સુરત, રાજકોટ, ધોરાજી, વિગેરે બહારથી જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લામાં આવેલ 36 જેટલા લોકોને જૂનાગઢમાં પરવાનગી વગર નહીં પ્રવેશવા દઈ જ્યાંથી આવ્યા હતા ત્યાં પરત* કરી, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ કરી, ધરપકડ કરી, જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવેલ છે.

💫 પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો અટકેલ હોઈ, જેને જાળવી રાખવા* માટે
સામાન્ય રીતે માણસો મેડીકલના બહાના હેઠળ તેમજ બહારગામ નોકરીના બહાના હેઠળ જૂનાગઢ થી બહાર તેમજ જૂનાગઢ અંદર પ્રવેશ કરે છે. *હવેથી મેડિકલ ના બહાને રાજકોટ તેમજ જૂનાગઢ થી બહાર ગામ જતા લોકોએ પાસ પરમીટ અને પરવાનગી લેવી* પડશે. વગર પાસ પરવાનગીએ માત્ર *મેડીકલ ગ્રાઉન્ડ ઉપર બહાર જવા દેવામાં નહીં આવે, જેથી બહારગામ દવા લેવા જતા દર્દીઓએ પણ પાસ પરમીટ અવશ્ય લઈને જવાનું* રહેશે. વધુમાં, *સરકારી નોકરી, કરતા રોજનું અપ ડાઉન કરતા કર્મ ચારીનું આઈ કાર્ડ ચાલશે બેન્ક, પ્રાઇવેટ નોકરી, ફેક્ટરીમાં નોકરી કરતા લોકો તેમજ ફેકટરી માલિકે પણ અવર જ્વર કરવા માટે પાસ લેવો* જરૂરી છે. આવતીકાલ થી પાસ વિનાના કોઈપણ કર્મચારી, મલિક કે મજૂર ને ચેક પોસ્ટ ઉપરથી પસાર કરવામાં નહીં આવે. આવશ્યક સેવાઓ વાળાઓએ તેમજ ખેતીકામ કરતા લોકોએ પણ જૂનાગઢની બહાર નીકળવા માટે પાસ પરમીટ મેળવી લેવાના રહેશે. ટૂંકમાં, પાસ પરમીટ વગરના લોકો તથા વાહનોની અવર જ્વર ઉપર જૂનાગઢ ની તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, નિયંત્રણ લાવવામાં આવેલ હોઈ, તમામ લોકોએ બહારગામ જવા કે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરવા માટે પાસ મેળવી લેવા* પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે….._

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200423-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *