દેલવાડા દીવ રોડ પર આવેલ કોમી એકતાના પ્રતીક એવા બીબી ગુમ્મતમાંનો ઉર્ષ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે બંધ રાખેલ હતો. ઉર્ષ આ વર્ષે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં સરકારની ગાઈડ લાઈન મુજબ તા.29 ને સોમવાર ના રોજ સવારે 10 વાગ્યે મહિલાઓની મજલીસ થશે. અને બપોરના 12:30 કલાકે આમ ન્યાઝનો પ્રોગ્રામ રાખેલ છે. જેનો સર્વે સમાજના લોકોને લાભ લેવા દરગાહ ટ્રસ્ટના પ્રમુખ હાજી શબ્બીરશા બાનવાની યાદીમાં જણાવેલ છે..
