Maharashtra

ઓમિક્રોનની ઈફેક્ટને લીધે વિક્કી – કેટરિનાના લગ્નમાં મહેમાનોની યાદી ટુંકી કરાઈ

મુંબઈ
બ્રિટીશ મૂળની કેટરિનાના લગ્નમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપવાના હતા. પરંતુ ઓમિક્રોનના કારણ ેસરકાર નવી ગાઇડલાઇન્સ બહાર પાડતા તેમના ભારત આવવા પર સંશય થઇ રહ્યો છે. કેટરિના અને વિક્કીના લગ્નની સંગીત સેરેમનીને કરણ અને ફરાહ કોરિયોગ્રાફ કરી રહ્યા છે.વિક્કી કૌશલ અને કેટરિના કૈફે પોતાના લગ્નની ઘોષણા તો નથી કરી, પરંતુ તેમના લગ્ન વિશે નવી નવી વાતો આવ્યા કરે છે. હવે વાત એવી છે કે, તેઓ પોતાના લગ્નના મહેમાનોની સંખ્યા ઓછી કરી રહ્યા છે. જાેકે વિક્કી કૌશલની બહેન ડો. પાસના વોહરાએ જણાવ્યુ ંહતુ ંકે, કેટરિના અને વિક્કીના લગ્ન એ એક માત્ર અફવા જ છે, તેઓ લગ્ન નથી કરી રહ્યા. રિપોર્ટને સાચો માનીએ તો આ યુગલ ૯ ડિસેમ્બરના રોજ લગ્નના ફેરા લેવાનું છે. તેમણે પોતાના લગ્નમાં આમંત્રિતોની એક યાદી તૈયાર કરી હતી. પરંતુ હવે ફરી આ યાદી પર ફેરવિચારણા થઇ રહી છે. વાત એમ બની છે કે, કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન લોકોને સપાટામાં લઇ રહ્યો છે. તેથી સરકાર નવી ગાઇડલાઇન્સ તૈયાર કરી રહી હોવાથી આમંત્રિતોની સંખ્યા ઘટાડવી પડે તેવી પરિસ્થિતિ ઉદભવી છે.

Vikky-Ketrina-Marraige-list.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *