નવીદિલ્હી
નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ શુક્રવારે અહીં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓને મળ્યા હતા. દેઉબા ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. સૂત્રોએ જણાવ્યું કે બંને નેતાઓએ તેમના પક્ષો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી. તેઓએ બંને પાડોશીઓ વચ્ચેના ઐતિહાસિક સંબંધો અંગે પણ ચર્ચા કરી.નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ તેમની ત્રણ દિવસની ભારત મુલાકાત દરમિયાન શનિવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઈ હતી. આ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દેઉબા શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને નેપાળની મિત્રતા પોતાનામાં ખાસ છે અને તે આપણા લોકો વચ્ચેના પરસ્પર સંબંધને દર્શાવે છે. આ મિત્રતા એક એવું ઉદાહરણ છે જે દુનિયામાં બીજે ક્યાંય જાેવા મળતું નથી. આ દરમિયાન શેર બહાદુર દેઉબાએ પીએમ મોદીને કહ્યું, ‘હું નેપાળ અને નેપાળી લોકો પ્રત્યેના તમારા પ્રેમ અને લાગણીની ખરેખર કદર કરું છું અને મારી આજની મુલાકાત આ સહજ લાગણીઓને આગળ લઈ જશે.’ ‘આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, આપણા વિનિમયના દોરો પ્રાચીન સમયથી જાેડાયેલા છે. અમે અનાદિ કાળથી એકબીજાના સુખ-દુઃખના સાથી છીએ. પીએમ મોદીએ કહ્યું કે અમે પંચેશ્વર પ્રોજેક્ટમાં ઝડપી ગતિએ આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો છે. આ પ્રોજેક્ટ આ વિસ્તારના વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. પીએમ મોદીએ કહ્યું કે અમે નેપાળની હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ યોજનાઓમાં ભારતીય કંપનીઓ દ્વારા વધુ ભાગીદારી કરવાના વિષય પર પણ સહમત થયા છીએ. આ ખુશીની વાત છે કે નેપાળ તેની વધારાની શક્તિ ભારતને નિકાસ કરી રહ્યું છે. તે નેપાળની આર્થિક પ્રગતિમાં સારું યોગદાન આપશે. મને વિશેષ આનંદ છે કે નેપાળ આંતરરાષ્ટ્રીય સૌર જાેડાણનું સભ્ય બન્યું છે. પીએમ મોદીએ કહ્યું કે વડાપ્રધાન દેઉબા જી અને હું પણ તમામ બાબતો અને વેપારમાં ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી પહેલને પ્રાથમિકતા આપવા સંમત થયા છીએ. જયનગર-કુર્થા રેલ લાઇનની શરૂઆત આનો એક ભાગ છે. આવી યોજનાઓ બંને દેશો વચ્ચેના લોકોના સરળ, મુશ્કેલીમુક્ત આદાનપ્રદાન માટે મોટો ફાળો આપશે. નેપાળમાં ઇેઁટ્ઠઅ કાર્ડની રજૂઆત અમારી નાણાકીય જાેડાણમાં એક નવો અધ્યાય ઉમેરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ઇેઁટ્ઠઅ કાર્ડથી જણાવ્યું કે જુલાઈ ૨૦૨૧માં પદ સંભાળ્યા બાદ દેઉબાની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ મુલાકાત છે. નેપાળના વડાપ્રધાન સાથે તેમની પત્ની અર્જુ દેઉબા પણ ભારત આવી છે. આ બેઠક પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘ભારત અને નેપાળ સદીઓ જૂના અને ખાસ મૈત્રીપૂર્ણ અને વિશેષ સંબંધો ધરાવે છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રોમાં સહકારમાં નોંધપાત્ર પ્રગતિ જાેવા મળી છે.


