Delhi

ઉર્જા મંત્રાલયે આયાતી કોલસાનો બોજ ગ્રાહકો પર નાખવા સમર્થન આપ્યું

ન્યુદિલ્હી
સ્થાનિક કોલસાની અછતને કારણે વીજળીની કટોકટી વધુ ઘેરી બનવાની આશંકા વચ્ચે, ઉર્જા મંત્રાલયે ઊંચી કિંમતના આયાતી કોલસાનો બોજ ગ્રાહકો પર નાખવાના વિચારને સમર્થન આપ્યું છે. મતલબ કે આવનારા સમયમાં વીજળી વધુ મોંઘી થવાની સંભાવના છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોલસાની અછત છે. કેન્દ્રીય ઉર્જા સચિવ આલોક કુમારે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કેટલાક કોલસા આધારિત પાવર પ્લાન્ટ માટે આયાતી કોલસાની ઊંચી કિંમત ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા માટે સંમત થયા છે. તેમણે કહ્યું કે જાે આયાતી કોલસા આધારિત પાવર પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા પર નહીં ચાલે તો વીજળીની વધતી માંગને કારણે સ્થાનિક કોલસા આધારિત એકમો દબાણ હેઠળ આવશે. આ પગલાથી પાવરની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળશે કારણ કે અદાણી ગ્રુપ, ટાટા પાવર અને એસ્સાર જેવા આયાતી કોલસા આધારિત એકમો વીજ ઉત્પાદન કરી શકશે અને તેને રાજ્યની વિતરણ કંપનીઓને વેચી શકશે. આ મહિનાની શરૂઆતમાં, પાવર મિનિસ્ટર આર.કે.સિંઘની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં એસ્સારના ૧,૨૦૦ મેગાવોટના સલાયા પ્લાન્ટ અને મુન્દ્રામાં અદાણીના ૧,૯૮૦ મેગાવોટના પ્લાન્ટ જેવા એકમોનો સમાવેશ થાય છે જેથી આયાતી કોલસાની ઊંચી કિંમત ગ્રાહકો સુધી પહોંચાડી શકાય.

High-cost-of-coal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *