Delhi

ભારતીય ક્રિકેટ ટીમ ૧૫ વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ ખેડી શકે

નવીદિલ્હી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા રાજકીય સંબંધોને પગલે ભારતીય ક્રિકેટ ટીમે ૨૦૦૮ પછી પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો નથી. જાે કે ૧૫ વર્ષના લાંબા સમય બાદ ભારતીય ટીમ ફરી એક વખત પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવી સંભાવના છે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે આ સારા સમાચાર છે. પાકિસ્તાનને ૨૦૨૩ના એશિયા કપની યજમાની કરવાની તક મળી છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવી વકી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ ૧૮મીએ મુંબઈમાં યોજાનાર વાર્ષિક સાધારણ સભા અગાઉ ભારતના પાકિસ્તાન પ્રવાસ અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે. જાે કે આ માટે ભારત સરકારની અંતિમ મંજૂરી માન્ય રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના એજન્ડામાં સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે યોજાનાર એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવા ઈચ્છે છે. બીસીસીઆઈની એજીએમમાં પણ આને લીલીઝંડી મળશે. એક અહેલા મુજબ ભારતીય ટીમ આઈસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ, આઈસીસી વિમેન્સ અંડર-૧૯ ટી૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા જ્યારે એશિયા કપ માટે પાકિસ્તાન જશે. આ ઉપરાંત ભારત આગામી વર્ષે વન-ડે વર્લ્ડ કપની યજમાની પણ કરશે. તાજેતરમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો જેને પગલે ભારતીય ટીમ પણ આગામી વર્ષે એશિયા કપમાં રમવા પાકિસ્તાન જાય તેવી પ્રબળ શક્યતા છે. જાે કે અંતિમ મંજૂરીનો અધિકાર ભારત સરકારનો રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે ૨૦૨૧માં દ્વિપક્ષીય શ્રેણી યોજાઈ હતી. પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને ત્રણ ટી૨૦ તેમજ તેટલી વન-ડે મેચ રમાઈ હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી યોજવામાં આવી નથી. ફક્ત આંતરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્‌સમાં ભારત-પાક.ની હાઈવોલ્ટેજ ટક્કર જાેવા મળી છે.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *