ન્યુદિલ્હી
સરકારે ખેડૂતોને રાહત આપવાની દિશામાં વધુ એક મોટો ર્નિણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાક માટે સ્જીઁ (લઘુત્તમ ટેકાના ભાવ)ને મંજૂરી આપી છે. ૨૦૨૨-૨૩ સીઝન માટે ખરીફ પાકની સ્જીઁ મંજૂર કરવામાં આવી છે. હાલમાં, ૨૦૨૧-૨૨ માટે ડાંગરની સ્જીઁ પ્રતિ ક્વિન્ટલ ૧૯૪૦ રૂપિયા છે. અગાઉ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ભારત પાસે ખરીફ તેમજ રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરિયાનો પૂરતો સ્ટોક છે અને ડિસેમ્બર સુધી તેની આયાત કરવાની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો થયો છે અને એવી અપેક્ષા છે કે આગામી છ મહિનામાં તેના ભાવ વધુ નીચે આવશે. માંડવિયાએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “દેશમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા છે. સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા અમારી પાસે ડિસેમ્બર સુધી યુરિયાનો સ્ટોક છે. અમારે ડિસેમ્બર સુધી આયાત કરવાની જરૂર નથી.” મંત્રીએ કહ્યું કે સરકારે પહેલેથી જ ૧.૬ મિલિયન ટન યુરિયાની આયાત કરી છે, જે આગામી ૪૫ દિવસમાં મોકલવામાં આવશે. ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ના કિસ્સામાં, માંડવિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદન તેમજ લાંબા ગાળાની આયાત વ્યવસ્થા ડિસેમ્બર સુધીમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતી હશે. તેમણે કહ્યું કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારે વ્યાજબી દરે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સબસિડીમાં વધારો કર્યો છે. ખરીફ (ઉનાળુ વાવણી) મોસમ શરૂ થઈ ચૂકી છે જ્યારે રવિ પાકની વાવણી ઓક્ટોબરમાં શરૂ થાય છે. ખાતર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારો પાસે હાલમાં ૭૦ લાખ ટન યુરિયાનો સ્ટોક છે, જ્યારે ૧.૬ મિલિયન ટન યુરિયાની આયાત કરવામાં આવી રહી છે અને ડિસેમ્બર સુધીમાં ૧૭૫ લાખ ટન યુરિયાનું ઉત્પાદન કરવામાં આવશે. આ ઉપરાંત, અધિકારીએ જણાવ્યું હતું કે બરૌની અને સિન્દ્રી ખાતેના બે નવા પ્લાન્ટમાંથી છ લાખ ટન યુરિયા ઉપલબ્ધ થશે, જે ઓક્ટોબરમાં કાર્યરત થશે અને અન્ય ૨૦ લાખ ટન પરંપરાગત યુરિયાના વપરાશને પ્રવાહી નેનો યુરિયા દ્વારા બદલવામાં આવશે.


