Delhi

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં વાર્ષિક ૩૬ હજાર પેન્શન આપવામાં આવે છે

ન્યુદિલ્હી
જન ધન ખાતા ધારકો માટે સારા સમાચાર છે. જાે તમે પણ આ ખાતું ખોલાવ્યું છે તો હવે તમને દર મહિને ૩૦૦૦ રૂપિયા મળશે. જે પણ યોજના હેઠળ સરકાર સીધા સાર્વજનિક ખાતામાં નાણાં જમા કરે છે, તે તમામ યોજનાઓના નાણાં પ્રથમ જન ધન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર જનધન ખાતાધારકોને દર મહિને પૂરા ૩૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ સરકારી યોજનાનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. આ યોજના હેઠળ મળેલા પૈસા પેન્શનના રૂપમાં આપવામાં આવે છે. જન ધન ખાતા ધારકને પણ આ યોજનાનો લાભ મળે છે. ૧૮ વર્ષથી ૪૦ વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ કેન્દ્ર સરકારની માનધન યોજનામાં ભાગ લઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ૬૦ વર્ષનો થાય છે, ત્યારે આ યોજનાના પૈસા તેને ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાં વાર્ષિક ૩૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર થાય છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળે છે. સ્ટ્રીટ વેન્ડર્સ, મિડ-ડે મીલ વર્કર્સ, હેડ લોડર, ઈંટ ભઠ્ઠા કામદારો, મોચી, ચીંથરા પીકર્સ, ઘરેલુ કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વિહોણા મજૂરો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય જાે તમારી માસિક આવક ૧૫૦૦૦ રૂપિયાથી ઓછી હોય તો જ તમે તેનો લાભ લઈ શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય તમારું જન ધન ખાતું હોવું પણ જરૂરી છે. તમારે તમારા બચત ખાતાની વિગતો પણ સબમિટ કરવી પડશે. આ સ્કીમ હેઠળ દર મહિને અલગ-અલગ ઉંમર પ્રમાણે ૫૫ રૂપિયાથી ૨૦૦ રૂપિયાનું યોગદાન આપવું પડશે. જાે તમે ૧૮ વર્ષની ઉંમરે આ યોજનામાં જાેડાઓ છો, તો તમારે દર મહિને ૫૫ રૂપિયા ચૂકવવા પડશે. ૩૦ વર્ષની ઉંમરના લોકોએ ૧૦૦ રૂપિયા અને ૪૦ વર્ષના લોકોએ ૨૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. આ યોજનામાં નોંધણી કરવા માટે, તમારે તમારા બચત બેંક ખાતા અથવા જન ધન ખાતાના ૈંહ્લજી કોડની જરૂર પડશે. આ સિવાય તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

Pradhan-Mantri-Shram-Yogi-Mandhan-Yojana.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *