Delhi

સાઇરસ મિસ્ત્રીના મોત બાદ એમેઝોન પર આ પ્રોડક્ટનો સરકારે પ્રતિબંધ લગાવ્યો

નવીદિલ્હી
ગત થોડા દિવસોથી એક્સ ટાટા ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું કાર એક્સિડેન્ટમાં મોતના સમાચાર સામે આવ્યા હતા જેથી આખો દેશ શોકની લહેરમાં હતો. ૫૪ વર્ષીય આ બિઝનેસમેનનું આમ અચાનક દુનિયાને અલવિદાને કરવું ખૂબ જ દુખદ હતું અને તેનું કારણ એક ભયંકર અકસ્માત હતો. તમને જણાવી દઇએ કે કહેવામાં આવી રહ્યું છે કે કારણ કે સાઇરસ મિસ્ત્રીએ, જે પોતાની ગાડીમાં પાછળ બેસ્યા હતા, તેમણે બેલ્ટ લગાવ્યો ન હતો, તે આ અકસ્માતનો શિકાર બન્યા. ત્યારબાદથી સીટ બેલ્ટના મહત્વપૂર ખૂબ ડિબેટ થઇ રહી છે. આ દરમિયાન સરકારે શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે અને એક પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ દુખદ અકસ્માત બાદ સીટ બેલ્ટની જરૂરિયાત અને મહત્વ પર ખૂબ વાતચીત કરવામાં આવી રહી છે અને તે વાતને આગળ વધારતાં સરકારે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો છે. ટ્રાંસપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ નિયમોને તો જાહેર કર્યા અને સાથે જ એક પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ પણ લગાવી દીધો છે. તમને જણાવી દઇએ કે નિતિન ગડકરીએ અમેઝોનને રિકવેસ્ટ કરી કે તે પોતાની સાઇટ પર એલાર્મ બ્લોકર્સને વેચવાનું બંધ કરી દે. તેમને રોયટર્સને આપેલા એક ઇન્ટરવ્યુંમાં નિતિન ગડકરીએ કહ્યું કે અમેઝોન પરથી ક્લિપ્સ ખરીદી લે છે જેનો ઉપયોગ સીટ બેલ્ટના એલાર્મને બ્લોક કરવામાં થાય છે. અમેઝોનને આ પ્રોડક્ટને બચાવવ માટે કરવામાં આવે છે. અમેઝોનને આ પ્રોડક્ટનું વેચાણ બંધ કરવાને લઇને નોટિસ મોકલવામાં આવી છે. તમને જણાવી દઇએ કે દ્ગઝ્રઇમ્ ૨૦૨૧ રિપોર્ટ અનુસાર ભારતમાં રોડ અકસ્માતોના લીધે ૧,૫૫,૬૨૨ મોત થયા છે અને તેમાંથી ૬૯,૨૪૦ અકસ્માત ટૂ વ્હીલર્સના થયા છે. ઉર્ઙ્મિઙ્ઘ મ્ટ્ઠહા ના એક રિપોર્ટ અનુસાર ભારતનો ડેથ ટોલ રેકોર્ડ દર ચાર મિનિટે એક ડેથ થાય છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *