નવીદિલ્હી
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે જાન્યુઆરીથી આ મુદ્દાને જાેઈ રહ્યા છીએ. અમે ૧૫ ફેબ્રુઆરીએ એડવાઈઝરી જાહેર કરી હતી. અમે આસપાસના ચાર દેશોમાં ટીમો મોકલી અને કંટ્રોલ રૂમ પણ બનાવ્યો. ૪ માર્ચ સુધીમાં અમે યુક્રેનમાંથી ૧૬,૦૦૦ નાગરિકોને બહાર કાઢવામાં સફળ થયા. એ પણ કહ્યું કે ૧૩,૦૦૦ થી વધુ નાગરિકો ભારત પહોંચી ગયા છે અને વધુ ફ્લાઇટ્સ આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ચૂંટણી અને લોકો પર તેની સકારાત્મક અસર પડી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બીજેપી ફરીથી જાેરદાર તાકાત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં તમામ પ્રકારની ગુનાહિત ઘટનાઓમાં ૩૦ થી ૭૦ ટકાનો ઘટાડો થયો છે. તમામ માફિયાઓ જેલમાં છે. મહિલાઓ અને છોકરીઓ હવે સુરક્ષિત અનુભવે છે. અમિત શાહે કહ્યું કે અમે ચાર રાજ્યોમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સાથે જ કહ્યું કે અમે પહેલીવાર પંજાબમાં અમારી સ્થિતિ સુધારીશું, અમે સૌથી મોટી ગઠબંધન પાર્ટી તરીકે પંજાબમાં ચૂંટણી લડી છે. અમિત શાહે કહ્યું કે ચૂંટણી એ માત્ર સરકાર બનાવવાની કવાયત નથી. અમારા માટે આ અમારી વિચારધારા અને સરકાર દ્વારા કરવામાં આવેલા કામને લોકો સુધી પહોંચાડવાની અને તેમની સમસ્યાઓ વિશે જાણવાની તક છે. અમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ફરીથી સરકાર બનાવીશું અને પંજાબમાં સારું પ્રદર્શન કરીશું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમને ચૂંટણી પ્રચારથી લાગે છે કે ચાર રાજ્યો (ગોવા, ઉત્તરાખંડ, મણિપુર, ઉત્તર પ્રદેશ)માં જ્યાં અમે સરકારમાં હતા, ત્યાંના લોકોએ અમને ફરીથી ચૂંટવાનો ર્નિણય કર્યો છે.


