મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના મિર્જાપુરમાં રહેતા ઝાલા દલપતસિંહ ખોડાભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. તેમના ઘરની સામે મારુતિ રિસાયકલિંગ નામની કેમિકલ કંપની આવેલી છે. કંપનીની આ દીવાલ પાછળ અડીને જરાવત ગામના ચારથી વધારે પરિવારો પોતાની વડીલો પાર્જિત જમીન પર રહે છે. સોમવારના રોજ મારુતિ રિસાયકલિંગ નામની કેમિકલ કંપનીની પાછળની દીવાલ પર વેસ્ટ વધારે થવાથી 5 વાગ્યાંની આસપાસ દીવાલ પડતા લીમડાના ઝાડ પાસે બાંધેલી ગાયનુ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ કઠલાલ સ્થાનિક પોલીસને થતા ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.


