સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિર ખાતે મનોરોગી બહેનોને પૂ. ભાઈજી – પૂ. રમેશભાઈ ઓઝા કથા, સત્સંગ કે ત્રિદિવસીય વિચાર ગોષ્ટિ માટે પધારશે. મનોરોગી સામે કથા કરવાનો કોઈ કથાકારનો આ પ્રથમ પ્રયાસ હશે.
———————————————————————
સાવરકુંડલા માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુએ દેવકા ખાતે પૂ. ભાઈજીની સત્સંગ ગોષ્ઠિ સબબ શુભ મુલાકાત કરતાં આ સંદર્ભે ભવિષ્યમાં સાવરકુંડલા માનવ મંદિર મનોરોગી આશ્રમ ખાતે મનોરોગી બહેનોને કથા સત્સંગ કે ત્રિદિવસીય વિચાર ગોષ્ટિ માટેની આજે ચર્ચા કરવામાં આવી અને ટૂંક સમયમાં પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝા માનવમંદિરે મનોરોગી બહેનોને સત્સંગ કથા કે વિચાર ગોષ્ઠી કરશે. મનોરોગી પાગલો સામે કથા કે વિચાર ગોષ્ટી કરવાનો કોઈ કથાકારનો કદાચ આ પહેલો જ પ્રસંગ હશે


