છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના કંડવા ખાતે તાલુકા વિકાસ અધિકારી એસ. જે. ચૌધરી તેમજ વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા ના અધ્યક્ષ સ્થાને આંઠમાં તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં હાજર છોટાઉદેપુર જીલ્લા મંત્રી ધર્મેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારનો આંઠમાં તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓના વિવિધ વિભાગના અધિકારીઓ ની હાજરીમાં કુલ ૧૧ગામની અરજીઓ આવેલ હતી તેમાંથી સંપૂર્ણ અરજીનો સ્થળ ઉપરજ નિકાલ કરાયો છે આ પ્રકારે પ્રજાના પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરવાનો સેવસેતુ કાર્યક્રમ માં લાભાર્થી ઓ એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


