રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પંજાબમાં વડાપ્રધાન ના કાફલા સાથે થયેલ ઘટનાને લઇ ભાજપ સંગઠન દ્વારા કઠલાલ ચાર રસ્તા થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બેનરો અને મસાલ સાથે સૂત્રોચાર કરી રેલી યોજવામાં આવી.આ મસાલ રેલી કઠલાલ શહેર તેમજ તાલુકા ભાજપ સંગઠન દ્વારા યોજવામાં આવી હતી.આ રેલીમાં કઠલાલ નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ તાલુકા અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.


