અત્યારે જે વન રક્ષકની પરીક્ષા તારીખ ૨૭-૩-૨૦૨૨ ના રોજ લેવાયેલી એ પરીક્ષામાં થયેલ ગેરરીતીની તપાસ કરવામાં માટે આજ રોજ યુવા ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ને આવેદન પત્ર આપવામાં આવ્યું, વનરક્ષકની પરીક્ષા ૨૦૧૮ માં જાહેર થયેલી પરીક્ષા ૪ વર્ષ બાદ તા. ૨૭/૦૩/૨૦૨૨માં લેવાઈ. તેમ છતાં સરકારની ઘોર બેદરકારી અને અણ-આવડતના કારણે ગેરરીતી થઈ છે. તેના કારણે અંદાજિત ૫,૬૦,૦૦૦ યુવાનોનું ભાગ્ય જોખમાયુ છે. સરકાર ગુના છુપાવવા આ વનરક્ષક પરીક્ષામાં થયેલ બનાવને કેસને કોપી કેસમા સમાવીને સમગ્ર ગુજરાતના યુવાનો સાથે રાજકીય રમત રમી અને વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરી રહ્યા છે. જો આ વનરક્ષક પરીક્ષાની ઘટનાની યોગ્ય નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો આનાથી વધારે સત્ય અને તથ્ય બહાર આવી શકે તેમ છે. આ સિવાયના અન્ય આધારપુરાવા જે વિદ્યાર્થીઓ દ્વારા પુરાવા મળેલ છે જેમા નાની મોટી છેતરપિંડી અને ચિટીંગનો ઉલ્લેખ છે. તો આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલકેટર ને આવેદન પત્ર આપી રજુવાત કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

