જામનગર તા.૨૦ જૂન, મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદ માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદનિવારણ’ કાર્યક્રમનું આયોજન કરવા સૂચન કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લા ખાતે ચાલુ માસના ચોથા ગુરુવાર એટલે કે આગામી તા. ૨૩ જૂનના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવેલ છે. જેની સર્વે અરજદારોએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
