Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારત વર્ષમાં રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, જે અન્વયે જામનગર જિલ્લામાં તા.૧૩/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૯:૩૦ કલાકે શ્રી નેશનલ હાઇસ્કુલ, જામનગર ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ૧૬ થી ૪૫ વર્ષ સુધીના નાગરિકોએ સાધન સામગ્રી સાથે લઈને સ્પર્ધાના સ્થળ ઉપર રિપોર્ટિંગ કરવાનું રહેશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે. 

દિવ્યા ત્રિવેદી                     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *