Gujarat

ગીર-સોમનાથ: દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે અપાતા પારિતોષિકો માટે અરજીઓ મંગાવાઇ    

ગિરગઢડા
   ભરત ગંગદેવ
         .  શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ- સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ,  દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ  આ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરનાર દિવ્યાંગ પારિતોષિકો-૨૦૨૧ મેળવવા માટે અરજી કરી શકશે.
અરજીનો નમૂનો રોજગાર ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર-સોમનાથ ખાતેથી વિના મૂલ્યે મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન. રૂમ નંબર ૩૧૧, ઈણાજ ખાતે તા.૨૧-૦૧-૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે. અધુરી વિગત વાળી- નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી ગીર-સોમનાથ મો. ૬૩૫૭૩-૯૦૩૯૦ પર સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *