Gujarat

નવા ઉદ્યોગકારોને નિકાસ માટે પ્રોત્સાહિત કરવા માટે અપાયું માર્ગદર્શન   

નવા ઉદ્યોગ સાહસિકો માટે સરકાર પુરસ્કૃત તમામ પ્રકારની  પ્રોત્સાહક આર્થિક યોજનાની જાણકારી અપાઇ

જૂનાગઢ જિલ્લામાં નિકાસને વેગ આપવા માટે અગ્રણી ઉદ્યોગકારોનો એક પરિસંવાદ યોજાયો હતો. જેમાં ખાસ કરીને નવા ઉદ્યોગકારોને નિકાસ માટે પ્રોત્સાહનની સાથે એક દિશા મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 વન ડીસ્ટ્રીકટ  વન  પ્રોડકટ અંતર્ગત  તેમજ  નિકાસ માટે કેનદ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા  ઇન્ડિયન ટ્રેડ પોર્ટલમાં મળી રહેલી ઓનલાઇન સવલત અંગે આ સેમીનારમાં માહિતી આપવામાં આવી હતી. વિવિધ દેશો સાથે થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને તેના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.

        આ પરિસંવાદમાં ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી જે.એમ. બિશ્નોય, ગુજરાત એફઆઈઈઓના પ્રમુખ શ્રી ગોયલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી ડી.એમ. જોષી, શ્રી આકાશ મુલચંદાની, બેન્ક ઓફ ઈન્ડિયાના એજીએમ શ્રી સાકેત કુમાર સહાય, શ્રી પંકજ અગ્રવાલ અને જયપ્રકાશ  ગોયલે વિદેશ વ્યાપાર સંબંધિ જુદા-જુદા પાસા સંદર્ભે વિગતવાર જાણકારી આપી આવી હતી. ખાસ કરીને નવા ઉદ્યોગકારો નિકાસ માટે પ્રેરિત થાય તે માટે કેન્દ્ર સરકારની નિકાસ માટેની નીતિઓ-યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.

 આ પરિસંવાદમાં વિદેશ વ્યાપારના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ, ગ્લોબલ સિનારિયો, ગુજરાતની ઉદ્યોગિક નીતિ, વિદેશી ચલણના ભાવ ઉતાર-ચઢાવનુ મેનેજનમેન્ટ વગેરે વિષય પર ઉડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

 જૂનાગઢ સરોવર પોર્ટિકો હોટલના કોન્ફન્સમાં યોજાયેલા આ સેમિનારમાં ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી સંજયભાઈ પુરોહિત, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ શ્રી અમૃતભાઈ પુરોહિત,  શ્રી એસ. કે. સહાય,  ડાયમંડ એસો.ના અગ્રણી  શ્રી ડી.કે. ઝાલાવડીયા,વિજયભાઇ, ચેમ્બરના સહમંત્રી મહેશભાઇ દેશાઇ  ઉપસ્થિત રહ્યા હતા.

parisamwad-udhyog-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *