પશુપાલન ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઈ માલમ તારીખ ૧૫/૭/૨૦૨૨ ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. મંત્રીશ્રીના હસ્તે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સખી મેળા વંદે ગુજરાત પ્રદર્શનનો ઉદધાટન કાર્યક્રમ સવારે ૧૦ કલાકે એ.જી. સ્કૂલ ગ્રાઉન્ડ, આઝાદ ચોક જૂનાગઢ ખાતે યોજાશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી આઝાદ ચોક, જનાના હોસ્પિટલ સ્થિત પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની મુલાકાત લેશે.
