Gujarat

બોડેલી ઓરસંગ નદી પર બનાવવામાં આવેલો નર્મદા કેનાલના એકવેડેક નું  વરસાદમાં  ધોવાણ

બોડેલી પાસેથી ઓરસંગ નદી પસાર થાય છે ઓરસંગ નદી ઉપર નર્મદાની મેન કેનાલનું એકવાડેડ આવેલું છે જે વર્ષો પહેલા બનેલું હતું આ એક્વાડ ના પાયા પાસે ચોમાસાના પ્રથમ વરસાદથી ધોવાણ થયું છે
બોડેલીના ઓરસંગ એકવેડકટના ફાઇન્ડેશન રિસ્ટોરેશન બાંધકામનું ટેન્ડર કરોડો રૂપિયાનું હતું.બાંધકામ પૂર્ણ થઈ ગયું હતું.ત્યાર પછીના પહેલાજ ચોમાસામાં પહેલી જ વખત ઓરસંગ નદી આવી જેમાં આ બાંધકામ ભાંગીને ભુક્કો થઈ ગયું છે.જેમાં સરકારના કરોડો ₹ નો ખર્ચ કરી ગુણવત્તા યુક્ત બાંધકામ કરવાનું હતું ત્યાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી દાખવતાં આ ઘટના બની છે.કોન્ટ્રાકટર ની કામગીરી યોગ્ય રીતે થઇ રહી છે કે કેમ? તે અંગે થર્ડ પાર્ટી એજન્સી દેખરેખ રાખી રહી હતી.તેમની નિગરાની હેઠળ જ નબળું બાંધકામ કરવામાં આવ્યું હતું.આ સ્ટ્રક્ચર કોલાપ્સ થઈ જતાં સરકારની શાખ અને આબરૂ પર સવાલો થઇ રહ્યા છે.સરકારે યોગ્યતાના ધોરણે જ ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાના પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ગણાતો ઓરસંગ એકવેડકટ સલામત કરવા આ પ્રોજેકટ હાથ પર લીધો હતો.સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ ઉચ્ચ સ્તરીય કમિટિ દ્વારા આ અંગે તપાસ થવા માંગ કરી છે. આ બાંધકામ નબળા મટીરીયલ અને ગુણવત્તા વિહીન કામ અને કોન્ટ્રાકટરની બેદરકારીને લીધે તૂટી પડ્યું છે.જે અંગેના કેટલાક કારણો અત્રે રજૂ કર્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220822-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *