માંગરોળ તાલુકાના ચંદવાણા ગામેથી દરસાલી ગામને જોડતો રસ્તો નોન પ્લાનમાં મંજુર કરવામાં આવ્યો હતો જે રસ્તાનુ કામ શરૂ કરતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખેડુતોએ માંગ કરીછે કે પહેલાં પાણી નિકાલની વ્યવસ્થા કરી પછીજ આ રસ્તાનું કામગીરી શરૂ કરો
બીજીતરફ વાત કરીએ તો આ રસ્તો આગળ બનીગયેલછે અને ઘણાં ખેડુતોની જમીનોમાં પાણી ભરાયાં અને પાકને ભારે નુકશાની થયચુકી છે જ્યારે આ રસ્તો પહોળો કરવામાં આવે તો ખેડુતોની માલીકીની જમીનો આ રસ્તામાં કપાત થાય છે જેથી ખેડુતો એ પહેલાં પેશકદમી હટાવવા પછીજ ઘટતી જમીન સંપાદન કરવાની માંગ કરીછે અને હાલમાં આ રસ્તાનું કામ બંધ કરાવ્યું હતું
બીજીતરફ આ રસ્તો બનતાં તેમાં નિયમ મુજબ નો માલ સીમેન્ટ વાપરવામાં આવતી નથી અને રસ્તાનાં કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ લગાવ્યા છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
