Gujarat

સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર ૧ ના ધોરણ ૭ ના વિદ્યાર્થી જંજવાડિયા આદિત્ય મુકેશભાઈએ તાલુકા કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવતાં શાળાનું ગૌરવ વધાર્યું..આદિત્યએ ગીજુભાઈની શ્રેષ્ઠ બાળવાર્તા પર સહજ, રોચક અને સરળ શૈલીમાં સમીક્ષા કરી પ્રેક્ષકોના અને નિર્ણાયકોનાં દિલ જીતી લીધા. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે,’પુસ્તકો પ્રત્યેનો પ્રેમ એ ઈશ્વરીય રાજ્યમાં પહોંચવાનો પરવાનો છે. પુસ્તકપ્રેમી સહુથી વધુ સુખી હોય છે.તા.૨૮-૨-૨૨ ના રોજ બી.આર. સી.ભવન સાવરકુંડલા ખાતે  તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ હતી.જેમાં દરેક ક્લસ્ટરમાંથી પ્રથમ ક્રમે આવેલ વિજેતા સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધા થયેલ.જેમાં પે સેન્ટર શાળા નં ૧ સાવરકુંડલાના બે વિદ્યાર્થીઓ ધો.  ૬ માંથી પરમાર જયદીપ તથા ધોરણ ૭ માંથી જંજવાડિયા આદિત્યએ પુસ્તક સમીક્ષા રજૂ કરેલ.જેમાં ધોરણ ૭ ના  વિભાગમાં જંજવાડિયા આદિત્ય મુકેશભાઈએ સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.આદિત્યએ’ ગિજુભાઈની શ્રેઠ બાળવાર્તાઓ’ પર પોતાની સહજ,સરળ,રોચક શૈલીમાં સમીક્ષા કરી  ઉપસ્થિત પ્રેક્ષકગણ તથા નિર્ણાયકોના દિલ જીતી લીધેલ.તેમની આ સફળતા બદલ તેમને તેમજ તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી શિલ્પાબેન દેસાઈને આચાર્યશ્રી તેમજ સમગ્ર શાળા પરીવાર ખુબ ખુબ ધન્યવાદ પાઠવે છે

IMG-20220304-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *