તા.10 સપ્ટેમ્બર નાં રોજ ભરૂચ સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં સી બી એસ ઇ સ્કૂલ માં ભરૂચ અંક્લેશ્વર ની તમામ સ્કૂલ નાં આચાર્ય ની ઉપસ્થિતિ માં શાળાનાં બાળકો માટે હેલ્થ એન્ડ વેલનેસ તેમજ શારીરિક અને માનસિક રીતે સ્થિર- સ્વસ્થ કરવાના હેતુ થી સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્ર્મ સી બી એસ ઇ માસ્ટર ટ્રેઈનર શ્રીમતી મિસેલ ગનેસાની દ્વારા કરવામાં આવ્યો હતો. આ સેમિનાર માં *અંક્લેશ્વર- ભરૂચ જિલ્લાના તમામ શાળાનાં 90 આચાર્ય – 180 શિક્ષકો* ઉપસ્થિત રહ્યાં હતા. બાળકો માટે સ્કૂલ થકી ઉચ્ચ વિચારસરણી વિકસે, ખોટી માન્યતાઓ થી દુર કેમ રેહવું એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.આ સેમિનાર માં આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળાના ટ્રસ્ટી શ્રી રાકેશ જૈન સર, શ્રી સચીન જૈન સર, શ્રી મહાવીર જૈન સર, શાળાનાં આચાર્ય શ્રી મેલરોય મેકડોનાલ્ડ, ઑપરેશન હેડ શ્રી દર્શન જૈન સર, ફલાયિંગ કીડ્સ હેડ મિસ્ટ્રેસ શ્રીમતી અર્ચના નેગી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.


