ઉના શહેરમાં રામનાણી પરિવારના ઘર આંગણે દીકરાના લગ્ન હોય આ લગ્ન પ્રસંગમાં કંસારી થી ખાસ દિવ્યાંગ બાળકોને તેડાવામાં આવેલા હતા. અને આ પ્રસંગે દિવ્યાંગ બાળકો પોતાની મોજમાં ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. અને આ દિવ્યાંગ બાળકોમાં અનેરો આનંદ ખુલી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે રામનાણી પરીવારે પોતાના અંગત પ્રસંગમાં દિવ્યાંગ બાળકો સાથે ખુશી વહેંચવાની અનોખી પહેલ કરનાર સુંદરભાઈ રામનાણી પરિવારની સરાહના થઈ રહી છે.


