Gujarat

આણંદના વિદ્યાનગરના યુવકને જાનથી મારી નાંખવાની ધમકી મળતા ફરિયાદ નોંધાવી

આણંદ
આણંદના વિદ્યાનગરની પ્રોફેસર સોસાયટીમાં રહેતા યુવકને અજાણ્યા બે થી ત્રણ શખસોએ મોબાઇલ પર બંદૂકથી ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યા ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો. વિદ્યાનગરની પ્રોફેસર સોસાયટી ખાતે રહેતા અમીત નયનભાઈ પરમારને કોઈ કારણસર કોર્ટ કેસ કર્યો હતો. આ કેસને લઈ અજાણ્યા શખસોએ તેને મોબાઇલ પર અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત કોર્ટની મુદતે તૈયાર રહેજે તેમ કહી તથા પરિવારના અન્ય સભ્યને પણ ફોન પર મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે અમીત પરમારે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા બેથી ત્રણ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સબુરભાઈને સોંપી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *