ઊનાના અંજાર સેવા સહકારી મંડળી દ્રારા દરેક સભાસદને ખુરશી તથા શેર ભંડોળના આધારે ૧૫ ટકા ડિવીડન્ટ ચુકવી પારદર્શકતાનો પુરાવો પુરો પાડેલ હતો. અંજાર સેવા સરકારી મંડળી લી. એ ગત વર્ષના શેર ભંડોળના ૧૫ ટકા ડિવીડન્ટ તેમજ એક-એક ખુરશી બોનસ રૂપે આપવામાં આવી હતી. અને મંડળીના પારદર્શક વહીવટનો પુરાવો પુરો પાડેલ હતો. તમામ સભાસદોમાં ખુશીનો માહોલ ફેલાયેલ હતો. અને આગામી વર્ષે વધુ નફો કરે અને વધુ સભાસદો બને તેમજ મંડળી વધુ સમૃધ્ધ બને એવો કારોબારીના તમામ સભ્યો તથા પ્રમુખ ધીરૂભાઇ જાદવે સંકલ્પ કરેલ હતો…

