ઊના – ઊનાના ખત્રીવાડા ગામની સીમ વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઇ બારીયાની વાડીમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિપડો આંટાફેરા કરતો હોય આ અંગેની જાણ વનવિભાગને કરતા વનવિભાગે દીપડાને પુરવા પાંજરૂ ગોઠવવામાં આવેલ હતું. અને ગત રાત્રીના સમયે બાબુભાઇ બારીયાની વાડીમાં દીપડો શિકારની શોધમાં આવતા પાંજરે પુરાય ગયો હતો. અને આ વિસ્તારના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.


