છોટાઉદેપુર જીલ્લા મથકે છોટાઉદેપુર નગર પાલીકા દ્વારા વ્હાલા દવલા ની નીતિ રાખી નાના ગરીબ પરીવારો લારી ગલ્લા ઉભા રાખી રોજીરોટી મેળવતા હતા ત્યારે આજે છોટાઉદેપુર નગરપાલિકા ના વહીવટી તંત્ર એ અલીરાજપુર વડોદરા રોડ પર ઉભેલા લારી ગલ્લા ના દબાણો દૂર કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર દુકાનો મકાનો ના પાકા ઓટલા તેમજ લટકણીયા થી દબાણો કરેલા છે પરંતુ નગરપાલિકાના વહીવટી તંત્ર એ ફક્ત લારી ગલ્લા વાળાઓને નિશાન બનાવી દબાણો દૂર કરાતા ગરીબ પરીવારોની રોજીરોટી છીનવાતા લારીગલ્લા ધારકોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળ્યો હતો હવે એ જોવું રહ્યું કે આ ગરીબ લારી ગલ્લા વાળા પરીવારો ને નગરપાલિકા વૈકલપીક જગ્યા ફાળવી તેમણી રોજીરોટી પાછી અપાવશે સરકારી જગ્યા ઉપર પાકા બાંધકામ થયેલ દુકાનો જે નગરપાલિકાની હદમાં આવેલ છે શું એ દબાણ છોટાઉદેપુર નગર પાલિકા થી એ દબાણ દૂર થશે કે કેમ તેવી લોકચર્ચા ઉઠી છે
*રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર*
Attachments area


