સાબરકાંઠા
અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા ૩૬માં રાષ્ટ્રીય ખેલ નેશનલ ગેમ્સનો ઉદ્દઘાટનના કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈ ને પ્રાંતિજ-તલોદમાંથી કોલેજ સહિતના વિધાર્થીઓને કાર્યક્રમમા હાજર રહેવા માટે પ્રાંતિજ-તલોદમાંથી ૪૬ બસો રવાના થઈ હતી. જેમા પ્રાંતિજ સહિત તાલુકામાંથી ૨૨ બસો અને તલોદ સહિત તાલુકામાંથી ૨૪ બસો જેમાં એક બસમા અંદાજીત ડ્રાઇવર-કંડકટર, એક તલાટી, એક સુપરવાઇઝર, એક પોલીસ કર્મી સહિત એક બસમાં સરેરાશ ૪૫ પ્રમાણે ૨૦૭૦ જેટલા વિદ્યાર્થીઓને ૪૬ બસોને અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અરવલ્લી-સાબરકાંઠા સાસંદ દિપસિંહ રાઠોડે લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. તલોદ-પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી એમ.એન.ડોડીયા, પ્રાંતિજ મામલતદાર વી.આર.પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડો.કામેશ્વર પ્રસાદ જાેડાયા હતા. તો પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રવાના કરાઈ હતી. આ પ્રસંગે નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ, સર્કલ અધિકારી પુરોહિત ભરતભાઈ, ડો. કાન્તીભાઇ પ્રજાપતિ, સુરેશ ભાઇ પટેલ, રાવલીયા સહિત કોલેજ સ્ટાફ તથા કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


