ચક્ષુદાન-મહાદાન
માંગરોળમાં સરલાબેન પ્રવિણચંદ્ર મેરવાણા(ઉ.વ.૬૨) તે પ્રવિણચંદ્ર જમનાદાસ મેરવાણાના ધર્મપત્નિ. નું તા.૦૧-૦૨-૨૦૨૨ રોજ દુઃખદ અવસાન થયેલ .આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાની “પ્રફુલભાઇ નાંદોલા ની પ્રેરણા થી આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણીયા ને જાણ કરતા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.જે મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં હતા
સ્વ.સરલાબેનના આજ રોજ થયેલ ચક્ષુદાનથી શિવમ્ ચક્ષુદાન-આરેણા દ્વારા ૧૧૩ વ્યક્તિના ચક્ષુદાન કરેલ છે.
મેરવાણા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ. સરલાબેનને શ્રધ્ધાંજલી અર્પે છે… રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


