માણાવદરની શૈશવ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે તેને અનુસંધાનને માણાવદરની શૈશવ સ્કૂલમાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શૈશવ સ્કૂલમાં પ્રિન્સિપાલ, શિક્ષક, વહીવટી કર્મચારી વિગેરેની કામગીરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈશવ સ્કૂલના ટ્રસ્ટી સંજયભાઈ લાખાણી તેમજ શાળાના પ્રિન્સિપાલ જ્યોત્સના મેડમે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

