સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલા ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ” વક્તૃત્વ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં કુલ 9 વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે બોરીચા રાજશ્રી, દ્વિતીય ક્રમે ચૌહાણ આસિયા અને તૃતીય ક્રમે મહેતા અમીશા અને જીંજાળા શ્રદ્ધા રહ્યા હતા. વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન ડો.કે.પી.વાળા સાહેબે કર્યું હતું. તેમાં સમગ્ર સ્ટાફ પરિવારે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડી. એલ. ચાવડા સાહેબે ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો. કે.પી.વાળા અને પ્રા.છાયાબેન શાહે સેવા આપી હતી.

