Madhya Pradesh

મધ્યપ્રદેશમાં વરરાજાએ શેરવાની પહેરી તો લગ્નમાં બંને પક્ષો વચ્ચે મારામારી

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ધારમાં લગ્ન થવાનો સમય આવ્યો તો યુવતીના પરિવારજનો વિવાદ કરવા લાગ્યા હતા. દૂલ્હનના પરિવારજનોએ વરરાજાની શેરવાની પર આપત્તિ વ્યક્ત કરી હતી. તે તેને પરંપરા પ્રમાણે ધોતી-કૂર્તો પહેરવાનું કહેવા લાગ્યા હતા. બીજી તરફ વરરાજા અને તેમના પરિવારજનોએ શેરવાનીમાં ફેરા ફરવાની વાત કરી હતી. જેના પર વિવાદ થયો હતો. વિવાદ વધતો જાેઇને વરરાજાના પરિવારજનો ઉઠી ગયા અને ગામમાં જ રહેતા પોતાના સંબંધી કુલદીપના ઘરે ચાલ્યા ગયા હતા. અહીં ચર્ચા થતી હતી ત્યારે કોઇએ આવીને જણાવ્યું કે જાનૈયા અને દૂલ્હનના પક્ષ વચ્ચે મારપીટ થઇ રહી છે. લોકો એકબીજાને પથ્થર મારી રહ્યા છે. આ ડ્રામા લગભગ ૪ કલાક ચાલ્યો હતો. પરિસ્થિતિ જાેતા વરરાજા દૂલ્હનને લઇને ઘાર રવાના થયો હતો. બન્નેએ સાત ફેરા ફર્યા હતા. આ મુદ્દે વરરાજાનું કહેવું છે કે વરરાજા અને દૂલ્હનના પરિવારજનો વચ્ચે કોઇ વિવાદ થયો ન હતો. કેટલાક સંબંધીઓ શેરવાની ના પહેરીને ધોતી-કુર્તો પહેરવાની જીદ કરવા લાગ્યા હતા અને વિવાદ વધી ગયો હતો. ધામનોદ પોલીસ સ્ટેશનના ટીઆઈ સુનીલ યદુવંશીએ કહ્યું કે વરરાજા અને દુલ્હનના પરિવારજનો વચ્ચે વિવાદ સામે આવ્યો છે. કેસ નોંધીને તપાસ શરુ કરી દેવામાં આવી છે. જે પણ તથ્ય સામે આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.મધ્ય પ્રદેશના ધારમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. વરરાજાએ લગ્નમાં ફેરા દરમિયાન શેરવાની પહેરતા દૂલ્હનના પરિવારજનો એટલા ગુસ્સે ભરાયા કે તેમણે જાનૈયાઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ મામલો એટલો વધી ગયો કે બન્ને પક્ષો વચ્ચે પત્થરબાજી થઇ હતી. વરરાજાએ જેમ તેમ કરીને દૂલ્હનને ભગાવી અને પોતાનો જીવ બચાવ્યો હતો. દૂલ્હનના પરિવાજનો ઇચ્છતા હતા કે વરરાજા પારંપરિક ધોતી અને કુર્તો પહેરીને આવે. જાેકે તેણે આમ ન કરતા પરિવારજનો ગુસ્સે ભરાયા હતા. આ અજીબ ઘટના ધારના માંગબયડા ગામની છે. વિવાદ પછી બન્ને પક્ષોએ એકબીજા સામે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *