Maharashtra

આડકતરી રીતે આલિયાએ કર્યા પતિ રણબીરના વખાણ

મુંબઈ
બોલિવૂડમાં આજકાલ ડરનો માહોલ છે. આ વર્ષે આંગણીના વેઢે ગણી શકાય તેટલી જ ફિલ્મોએ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. મોટામાં મોટા ફિલ્મ મેકર્સ અને સુપરસ્ટાર્સની ફિલ્મો એક બાદ એક ફ્લોપ થઈ રહી છે અને આ કારણે પ્રોડક્શન હાઉસની પણ ચિંતા વધી છે. રોકાણ સામે વળતરમાં ફક્ત નુકસાન જ દેખાતા બિગ બજેટ ફિલ્મોમાં ઈન્વેસ્ટ કરતા પહેલા પ્રોડ્યુસર્સ પણ વિચારી રહ્યા છે. રિસન્ટ રિલીઝ ફિલ્મ ‘શમશેરા’ રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે બની હતી અને બોક્સ ઓફિસ પર ૫૦ કરોડના બિઝનેસ સુધી ફિલ્મ ધીમી ગતિએ આગળ વધી રહી છે. જે જાેઈને રણબીર કપૂરની સાથે તેની પત્ની આલિયા પણ ચિંતિત છે. આલિયાએ આડકતરી રીતે તેના હસબન્ડના સ્વભાવની એક ઈન્ટરવ્યૂ દરમિયાન ચર્ચા કરી હતી. આલિયાએ કહ્યું હતું કે, ‘પ્રોડ્યુસર્સ પ્રામાણિક રીતે દરેક એક્ટર્સની ફી પૂરેપૂરી ચૂકવે છે. તેની સામે એક્ટર્સ પણ તેટલા જ પ્રામાણિક હોય છે. અનેક વાર એવું પણ બને છે કે, જાે ફિલ્મ ન ચાલે તો એક્ટર પ્રોડ્યુસર પાસે ફિલ્મની બાકીની ફી લેતા નથી અને અમુકવાર તો તેવું પણ બને છે કે, એક્ટર તેણે લીધેલી ફી પાછી આપી દે છે. જેથી પ્રોડ્યુસર્સને વધુ નુકસાન સહન ન કરવું પડે પરંતુ અમે તેનો પ્રચાર નથી કરતા.’ અનેક સોશિયલ મીડિયા યુઝર્સ આલિયાના આ સ્ટેટમેન્ટ બાદ એવું કહી રહ્યા છે કે, આલિયાએ આડકતરી રીતે કહી દીધું છે કે,તેના પતિની બિગ બજેટ અને બહુ ચર્ચિત ફિલ્મ ‘શમશેરા’ સુપર ફ્લોપ રહી છે અને રણબીરે ફિલ્મ માટે લીધેલી કરોડો રૂપિયાની ફી યશ રાજ ફિલ્મ્સને પરત કરી દીધી છે પરંતુ નિષ્ફ્ળતા સ્વીકારવાની સાથે રણબીરે બતાવેલી આ દરિયાદિલીના ન્યૂઝ સીધી રીતે આપવાની જગ્યાએ આલિયાએ તેને આડકતરી રીતે પૂરવાર કર્યું છે. બીજા એક ટીખળબાજે એવી પણ કોમેન્ટ કરી હતી કે, હજુ પણ કહી દઉં છું કે, ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ-૧’ માટે તમે બંનેએ લીધેલી ફી પરત કરી દો, જેથી પ્રોડ્યુસર્સને ભવિષ્યમાં ફિલ્મની નિષ્ફ્ળતાને કારણે એટેક ન આવે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *