Maharashtra

૧૧મી ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે

મુંબઈ
સતત બે ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ અક્ષય કુમારે રક્ષાબંધનના પ્રમોશન માટે જાેર લગાવ્યું છે. ૧૧મી ઓગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મની સીધી ટક્કર આમિર ખાનની લાલસિંઘ ચઢ્ઢા છે. અક્ષય કુમારે મંગળવારે રક્ષાબંધનનું ટ્રેલર રિલીઝ કર્યું હતું અને આ સાથે ફિલસૂફની અદામાં જવાબો પણ આપ્યા હતા. રક્ષાબંધનમાં અક્ષયની સાથે ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. જ્યારે લાલસિંઘ ચઢ્ઢામાં આમિર ખાન સાથે કરીના કપૂર છે. આ બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. આ અંગે અક્ષય કુમારે જણાવ્યું હતું કે, આ બંને ફિલ્મો વચ્ચે ટક્કર નથી. પરંતુ, સારી ફિલ્મો એક સાથે આવી રહી છે. કોવિડ-૧૯ના કારણે ઘણી ફિલ્મોની રિલીઝ અટવાઈ હતી અને હજુ ઘણી ફિલ્મો રિલીઝ ડેટની રાહ જાેઈ રહી છે. તેથી એક સાથે વધારે ફિલ્મો રિલીઝ થવાનું સ્વાભાવિક છે. બંને ફિલ્મો સારી ચાલે તેવી આશા છે. રક્ષાબંધનનું ટ્રેલર શેર કરતાં અક્ષયે લખ્યું હતું કે, જ્યાં પરિવાર હોય છે ત્યાં અડચણોનું સમાધાન પણ હોય છે. આ સાથે અક્ષયે દહેજનો વિરોધ કરતાં તેને ગિફ્ટ નહીં, પરંતુ દર્દ ગણાવ્યુ હતું. આ ફિલ્મમાં અક્ષયે ચાર બહેનોના લગ્નની જવાબદારી લેનારા ભાઈનો રોલ કર્યો છે. બહેનોને પરણાવવા ભાઈ દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ તેના પોતાના લગ્ન થતા નથી. અક્ષય કુમારે અગાઉ પેડમેન જેવી ફિલ્મમાં સોશિયલ મેસેજ આપ્યો હતો.

Entertainment-Akshay-became-a-philosopher-after-two-flop-films.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *