મુંબઈ
સરકારે શુક્રવારે સંસદમાં કહ્યું કે ભારત સંચાર નિગમ લિમિટેડ આ વર્ષના અંત સુધીમાં ૪ય્ સેવા શરૂ કરશે અને તેની સાથે ટેલિકોમ કંપનીની સેવાની ગુણવત્તામાં પણ સુધારો થશે. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકારે કંપનીની સ્થિતિ સુધારવા માટે ઘણા પગલાં લીધા છે. ચૌહાણે કહ્યું કે સરકારે ઓક્ટોબર ૨૦૧૯ માં આ સંદર્ભે એક પેકેજની પણ જાહેરાત કરી હતી, ત્યારબાદ કંપનીના ૭૦ ટકા કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેમણે લીધેલા વિવિધ પગલાંનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સરકારે કંપનીને જમીન સંપાદન કરવા અને બજારમાંથી નાણાં લેવાની પણ મંજૂરી આપી છે. પ્રશ્નકાળ દરમિયાન, ઘણા સભ્યોએ ફરિયાદ કરી હતી કે મ્જીદ્ગન્ની સેવા દયનીય છે. દેશમાં ૫ય્ સેવા શરૂ કરવા અંગે તેમણે કહ્યું કે સરકારે તાજેતરમાં પ્રાયોગિક ધોરણે ચાર કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવ્યા છે અને આ સંબંધમાં જરૂરી તપાસ પ્રક્રિયા પૂર્ણ થવાની છે. ચૌહાણે કહ્યું કે સરકારે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈને પણ આ પ્રક્રિયા માટે માર્ગદર્શન આપવા કહ્યું છે જેથી કરીને સ્પેક્ટ્રમની હરાજી થઈ શકે. તેમણે કહ્યું કે દેશમાં ૫ય્ સેવા વર્ષના અંત સુધીમાં શરૂ થવાની આશા છે. તેમણે કહ્યું કે ભારતમાં ટેલિકોમ સેવા સમગ્ર વિશ્વમાં સૌથી ઓછા દરે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે ૨૦૧૪માં સરેરાશ ડેટાનો વપરાશ દર મહિને ૧ય્મ્ હતો જે હવે વધીને લગભગ ૧૫ય્મ્ થઈ ગયો છે. તેમણે કહ્યું કે ડેટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને એક સમયે તેની કિંમત ૨૭૦ રૂપિયા પ્રતિ ય્મ્ હતી, જે હવે ૧૦ રૂપિયા પ્રતિ ય્મ્ થઈ ગઈ છે. આ સિવાય કોલિંગ રેટ લગભગ ફ્રી થઈ ગયો છે. આ સિવાય તમને જણાવી દઈએ કે ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડ (મ્મ્દ્ગન્), મહાનગર ટેલિફોન લિમિટેડ (સ્દ્ગન્) ને ભારત સંચાર નિગમ લિમિટેડ (મ્જીદ્ગન્) સાથે મર્જ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ વિલીનીકરણ અંગે સંસદીય સમિતિએ કહ્યું કે પહેલા સ્પેશિયલ પર્પલ વ્હીકલ (જીઁફ)ની રચના કરવી જાેઈએ. સ્દ્ગન્નું દેવું અને અસ્કયામતો, જે લગભગ રૂ. ૨૬૫૦૦ કરોડ છે, તેને આ જીઁફમાં ટ્રાન્સફર કર્યા પછી જ મ્જીદ્ગન્ની કામગીરી સાથે મર્જ કરવી જાેઈએ.


