Rajasthan

રાજસ્થાનમાં આગામી ચૂંટણી મોદીના નામે લડાશે

જયપુર
ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ જાહેરાત કરી છે કે ભાજપ આગામી ચૂંટણી વસુંધરા કે બીજા કોઈ સ્થાનિક નેતાના નામે નહી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે લડશે. વાસ્તવમાં રાજસ્થાન ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદના લીધે પક્ષે આ ર્નિણય લેવો પડ્યો છે. ભાજપના આ જૂથવાદની અસર પક્ષની ચૂંટણીની સંભાવના પર ન પડે તેને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવાયો છે. જાે કે પક્ષ દ્વારા આ જાહેરાતના લીધે રાજસ્થાન ભાજપમાં ભડકો થવાના એંધાણ છે. વસુંધરા રાજેનો મિજાજ જાેતા તે આ પ્રકારની જાહેરાતને સ્વીકારી લે તેવી સંભાવના ઘણી ઓછી છે. હવે તેઓ આગામી સમયમાં કયા પ્રકારના પગલાં ભરે છે તેના પર બધાની નજર રહેશે. તેથી રાજસ્થાન ભાજપમાં સંઘર્ષ નક્કી જ છે. વસુંધરા રાજેને કદ પ્રમાણે વેતરી નાખીને અમિત શાહ ગજેન્દ્ર શેખાવતને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બીજી બાજુએ સતીશ પુનિયા પોતે પણ મહત્વાકાંક્ષી છે, પણ હકીકત એ છે કે વસુંધરા રાજેને બાજુએ મૂકી દેવામાં આવે તો પણ રાજસ્થાન ભાજપમાં આંતરિક જૂથવાદ ખતમ નહી થાય. આ સંજાેગોમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીની વૈતરણી પાર કરવા માટે વડાપ્રધાન મોદી સિવાય કોઈ મોટો આધાર રહ્યો નથી. તેથી આગામી ચૂંટણીમાં ભાજપ મુખ્યમંત્રી પદના ચહેરા વગર જ ઉતરે તેવી પ્રબળ સંભાવના છે. ભાજપનો આંતરિક જૂથવાદ હાલમાં તેને કનડી રહ્યો છે. રાજસ્થાનમાં ભાજપ આ પહેલા પણ પક્ષના નેતાઓની આંતરિક મહત્વાકાંક્ષાઓના લીધે સત્તા ગુમાવી ચૂકી છે. હવે આગામી ચૂંટણીમાં તે આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી.રાજસ્થાનમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના ચાણક્ય વસુંધરા રાજેનું પત્તુ કાપવામાં સફળ થયા છે. આના પગલે રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજે પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવારનો સત્તાવાર ચહેરો નહી હોય, એવી જાહેરાત ભાજપે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *