Uttar Pradesh

અખિલેશ યાદવ ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે

ઉતરપ્રદેશ
સપાના વડા અખિલેશ યાદવ આઝમગઢની ગોપાલપુર બેઠક પરથી ચૂંટણી લડશે. જાે કે, અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે સમાજવાદી પાર્ટી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાે સપાના વડા અખિલેશ યાદવ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે તો તેમણે લોકસભાનું સભ્યપદ છોડવું પડશે. અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી લોકસભાના સાંસદ છે. અગાઉ, ચૂંટણી મેદાનમાં ઉતરવાના પ્રશ્ન પર અખિલેશ યાદવ કહેતા રહ્યા છે કે તેઓ પાર્ટીના ર્નિણય પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. યુપીમાં કુલ ૪૦૩ સીટો છે. અહીં સાત તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કાઓ હેઠળ ૧૦ ફેબ્રુઆરી, ૧૪ ફેબ્રુઆરી, ૨૦ ફેબ્રુઆરી, ૨૩ ફેબ્રુઆરી, ૨૭ ફેબ્રુઆરી, ૩ માર્ચ અને ૭ માર્ચે મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૧૦ માર્ચે આવશે.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડશે. હાલ અખિલેશ યાદવ આઝમગઢ થી સાંસદ છે. જાે કે આ પહેલા ૧ નવેમ્બરના રોજ અખિલેશ યાદવે પોતે મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ત્યારે અખિલેશ યાદવની જાહેરાતે બધાને ચોંકાવી દીધા હતા.

Alhilesh-Yadav.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *