International

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો ઃ પીટીઆઈ નેતા

ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં ચાલી રહેલા અશાંતિ વચ્ચે આજે ઈમરાન ખાન દેશને સંબોધન કરવાના હતા, પરંતુ હવે તેમનું સંબોધન રદ કરવામાં આવ્યું છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે આ કાર્યક્રમમાં ઈમરાન ખાન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તાજેતરની માહિતી અનુસાર, ઈમરાન ખાનને ૧૫૫ સભ્યોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ પાસે ૧૮૬ સભ્યોનું સમર્થન છે. ઈમરાન ખાનને સત્તામાં રહેવા માટે ૩૪૨ સભ્યોના ગૃહમાં ૧૭૨ મતોની જરૂર છે. ગૃહમંત્રી શેખ રશીદે કહ્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ૩ એપ્રિલે થશે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારને તોડી પાડવા માટે જાેરદાર પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ, જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલનો સમાવેશ થાય છે, એ સોમવારે રાત્રે ઇસ્લામાબાદમાં શ્રીનગર હાઇવે પર એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથી અને મુખ્ય ગઠબંધન ભાગીદાર મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન વિપક્ષી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે કરાર કર્યા પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન રાજીનામું આપે તેવી શક્યતા છે. વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાના સમાચાર વચ્ચે ઈમરાન ખાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ આ પદ છોડશે નહીં. કેબિનેટ બેઠકમાં ઈમરાને કહ્યું કે હું આજે રાજીનામું નહીં આપીશ, હું છેલ્લી ઓવર, છેલ્લા બોલ સુધી રમીશ. તે જ સમયે, વિપક્ષના નેતા શાહબાઝ શરીફે કહ્યું છે કે આજનો દિવસ પાકિસ્તાનની તારીખનો મહત્વપૂર્ણ દિવસ છે. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ શરીફને દેશના નવા વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વરિષ્ઠ નેતા ફૈઝલ વાવડાએ દાવો કર્યો છે કે વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો છે કારણ કે તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ સાથે જ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ તેજ થઈ ગઈ છે. બુધવારે વિપક્ષે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સરકારના સહયોગી સ્ઊસ્એ વિપક્ષ સાથે જવાની જાહેરાત કરી હતી.

PM-Pakistan-Imran-khan-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *